અમદાવાદ- ગુજરાતને કોંગ્રેસ મુક્ત બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી એક મહત્વનું પગલું લઈ શકે છે. રાજ્યસભામાં અહેમદ પટેલને પહોંચવાથી રોકવા માટે બીજેપી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બળવંત સિંહ રાજપુત અથવા ધારાસભ્ય રામસિંહ પરવારને આગળ લાવી શકે છે. ઉલ્લેખનીય છે કે 74 વર્ષીય પરમાર મોટા કોર્પોરેટર લીડર છે અને અમુલ ડેરીના ચેરમેન પણ છે. ગુજરાતમાં અત્યારે પુરની સ્થિતિ પડકાર સમાન છે અને તેની સામેની લડાઈની સાથે સાથે રાજકીય ઘમાસાણ પણ ચાલુ છે. ગુજરાતનું કોંગ્રેસ મુક્ત મોડલ અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવામાં આવી શકે છે અને પછીથી કેન્દ્ર લેવલ પર પણ અમલમાં મુકી શકાય છે. ગુજરાતના એક અગ્રણી બીજેપી નેતાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, 2019 સુધી કોંગ્રેસ મુક્ત ભારતની દિશામાં અમે આગળ વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શંકર સિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યા પછી જો બળવંત સિંહ રાજપૂત પણ કોંગ્રેસ છોડશે તો પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે. આ વચ્ચે એવા સમાચાર પણ મળી રહ્યા છે કે, ભાજપના સીનિયર નેતા પોતાના કાયદાકીય સલાહકારો સાથે આ વિષે વાત કરી રહ્યા છે. ભાજપ સુનિશ્ચિત કરવા માંગે છે કે, કોંગ્રેસના જે સભ્યો પાર્ટી લાઈનથી અલગ વોટ કરે, કાયદાકીય રીતે તેમને અયોગ્યની શ્રેણીમાં ગણવામાં ન આવે.
ભાજપના 'કોંગ્રેસ મુક્ત' ગુજરાત મિશનની શરુઆત
Ahmedabad Mirror 27 Jul 2017, 10:07 am