એપશહેર

અ'વાદઃ પ્રેમી સાથે ભાગી ગઈ 17 વર્ષની છોકરી, લોકડાઉનમાં ખાવાના ફાંફાં પડ્તા મંદિરમાં રહ્યા

સગીર યુવતી પ્રેમી સાથે 9 મહિના પહેલા ઘર છોડીને ભાગી હતી, લોકડાઉનમાં નોકરી છૂટી જતા બંને મંદિરમાં રહેતા હતા.

Reported bySaeed Khan | I am Gujarat 18 Sep 2020, 10:22 am
અમદાવાદઃ પ્રેમમાં પડ્યા બાદ વ્યક્તિની સાચા-ખોટાનું પણ ભાન નથી રહેતું. લાગણીમાં તણાઈને ક્યારેક તે એવી મોટી ભૂલ કરી બેસે છે કે પરિવારને પણ તકલીફોનો સામનો કરવો પડે છે. મૂળ ધોલેરા નજીકના એક ગામનું કપલ ઘરેથી ભાગ્યા બાદ છેલ્લા કેટલાક મહિનાથી મંદિરમાં રહેવા મજબૂર થયું હતું.
I am Gujarat girl
પ્રતિકાત્મક તસવીર


પાછલા 9 મહિનાઓથી ગુમ સગીર યુવતી અને યુવકને પાછલા અઠવાડિયે એક મંદિરમાંથી શોધી કાઢવામાં આવ્યા હતા. ખેડૂત પરિવારમાંથી આવતા આ પ્રેમી કોરોના કાળમાં ખૂબ જ ગરીબાઈમાં સપડાઈ ગયા. યુવક પહેલા હીરા ઘસવાનું કામ કરતો હતો, પરંતુ કોવિડ-19ના લોકડાઉનમાં તેણે પોતાની નોકરી ગુમાવી દીધી. નાની એવી નોકરીઓ મળવાનું પણ બંધ થઈ ગયું અને બંને મંદિરમાં રહેવા મજબૂર થઈ ગયા.

17 વર્ષની સગીર યુવતી પાછલા વર્ષે ડિસેમ્બર મહિનામાં પોતાના પ્રેમી સાથે ઘરેથી ભાગી ગઈ હતી. યુવતીના પિતાએ ધોલેરા પોલીસ સ્ટેશનમાં 21 વર્ષના યુવક વિરુદ્ધ છોકરીનું અપહરણ કરવાના આરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી.

જોકે પોલીસ દ્વારા કોઈ પગલા ભરવામાં ન આવતા છોકરીના પિતા ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા અને હાઈકોર્ટે પોલીસને આદેશ આપ્યો હતો કે છોકરીને કોર્ટમાં રજૂ કરવામાં આવે. જોકે લોકડાઉનના કારણે સમગ્ર મામલે ત્રણ મહિના સુધી કોઈ કાર્યવાહી થઈ શકી નહોતી. પોલીસને આખરે સફળતા મળી અને મહેસાણા રોડ પરના મંદિરમાંથી કપલ મળી આવ્યું હતું.

પોલીસને બંને જણા ખૂબ જ ગરીબ સ્થિતિમાં મળી આવ્યા અને પેટ ભરવા માટે તેઓ મંદિરમાં પૂજારીને મદદ કરતા હતા. તપાસ અધિકારીએ છોકરીને HCમાં રજૂ કરતા પહેલા સમગ્ર બાબત જણાવી. જ્યારે યુવકને છોકરીનું અપહરણ કરવાના આરોપમાં પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો.

જોકે છોકરીએ પોતાના માતા-પિતા સાથે જવાથી ઈનકાર કર્યો અને જુલાઈ 2020માં પુખ્ત વયની થવા પર બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા હોવાનું જણાવ્યું. તે પરિવાર સાથે જવા તૈયાર ન હોવાથી તેને પાલડીના નારી વિકાસ ગૃહમાં મોકલાઈ હતી. સાથે જ હાઈકોર્ટે યુવતીને પરિવાર સાથે પાછા જવા માટે વિચારવાનો સમય આપ્યો છે. બીજી તરફ યુવકના પરિવારજનો સમગ્ર કેસથી પોતાને દૂર રાખી રહ્યા છે.

ફરિયાદીના વકીલ એ.એ ઝાબુઆવાલાએ કહ્યું, લોકડાઉનના 5-6 મહિના સુધી બંને જણા કેવી રીતે જીવન નિર્વાહ કર્યો તે જાણવા માટે અમે પોલીસને વિનંતી કરી છે. તેમના લગ્ન વિધિ વિધાન પૂર્વક થયા છે કે નહીં તે પણ હજુ સ્પષ્ય નથી. હાઈકોર્ટે કેસની સુનાવણીની બીજી તારીખ 18 સપ્ટેમ્બરની આપી છે અને યુવતીના માતા-પિતાને તેને કોર્ટમાં જ મળવાની મંજૂરી આપી છે. જોકે હાઈકોર્ટે યુવકને પણ કાયદાકીય મદદ આપવા માટે આદેશ કર્યો હતો.
લેખક વિશે
Saeed Khan
Saeed Khan is special corespondent at The Times of India, Ahmedabad. He reports on courts and legal issues. He also covers the income tax and customs departments. He loves spending time at roadside tea stalls, chatting up friends and getting news at the same time.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો