એપશહેર

અમદાવાદના મુસ્લિમો કોરોના વેક્સીન માટે નથી કરાવી રહ્યા રેજિસ્ટ્રેશન

શહેરના સરખેજ, મક્તમપુરા, બેહરામપુરા, દાણીલિમડા, રખિયાલ અને ગોમતીપુર વોર્ડ્સમાં ઘણા ઓછા લોકોએ રેજિસ્ટ્રેશન કરાવ્યું છે

Authored byHimanshu Kaushik | I am Gujarat 31 Dec 2020, 5:54 pm
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હવે કોરોનાની વેક્સીન આપવાની તૈયારી થઈ ગઈ છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સીન માટે રેજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. પરંતુ એએમસી સામે એક નવી મુશ્કેલી ઊભી થઈ છે કેમ કે શહેરના મુસ્લિમ વિસ્તારોમાં ઘણા ઓછા લોકોએ રેજિસ્ટ્રેશન કરાવ્યું છે. શહેરના સરખેજ, મક્તમપુરા, બેહરામપુરા, દાણીલિમડા, રખિયાલ અને ગોમતીપુર વોર્ડ્સમાં ઘણા ઓછા લોકોએ રેજિસ્ટ્રેશન કરાવ્યું છે.
I am Gujarat ahmedabad corona11


એએમસી દ્વારા અત્યાર સુધી 50 વર્ષથી વધુની વય ધરાવતા 6.55 લાખ લોકોએ રેજિસ્ટ્રેશન કરાવ્યું છે જ્યારે 50 વર્ષથી ઓછી વયના પરંતુ અન્ય રોગો ધરાવતા 24,800 લોકોએ રેજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે 50 વર્ષથી વધુ વય ધરાવતા 4,000 તથા 50 વર્ષથી ઓછી વયના પરંતુ અન્ય રોગો ધરાવતા 2,500 લોકોએ ઓનલાઈન રેજિસ્ટ્રેશન કરાવ્યું છે.

એમએમસી દ્વારા 40,000 સરકારી સ્વાસ્થ્ય કર્મીઓ તથા 15,000 ખાનગી હોસ્પિટલના કર્મીઓને વેક્સીનેશન માટે આઈડેન્ટિફાય કર્યા છે. આ ઉપરાંત 50,000 ફ્રન્ટલાઈન વર્કર્સને પણ વેક્સીનેશન માટે આઈડેન્ટીફાય કર્યા છે.

એએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, લઘુમતીની વધુ વસ્તી ધરાવતા વિસ્તારો ખાસ કરીને સેન્ટ્રલ અને સાઉથ ઝોન તથા સાઉથ વેસ્ટ ઝોનમાં રેજિસ્ટ્રેશન અપેક્ષા કરતા ઓછુ રહ્યું છે. સૌથી ઓછુ રેજિસ્ટ્રેશન સાઉથ વેસ્ટ ઝોનમાં થયું છે જેમાં જોધપુર, વેજલપુર, સરખેજ અને મક્તમપુરાનો સમાવેશ થાય છે. આ ઝોનમાં ફક્ત 46,700 લોકોએ રેજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ વોર્ડમાં મોટા વિસ્તારો લઘુમતીની સંખ્યા વધારે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકોને સરકારી તંત્ર પર વિશ્વાસ ઓછો છે તથા લોકો પોતાનો ડેટા આપવા તૈયાર નથી.

જમાલપુર-ખાડિયાથી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, વિદેશોમાં ઘણા સિનિયર નેતાઓએ વેક્સીન લીધી છે જ્યારે ગુજરાતમાંથી કોઈ નેતાએ વેક્સીન લીધી નથી. જેના કારણે લોકોને આ સરકાર પર વિશ્વાસ નથી. આ ઉપરાંત લોકોને વિશ્વાસ નથી કે તેમનો ડેટા ફક્ત વેક્સીનેશન માટે જ ઉપયોગમાં લેવાશે. એક વખત રસીકરણની શરૂઆત થશે ત્યારબાદ લોકો તેમની જાતે જ આગળ આવશે અને રેજિસ્ટ્રેશન કરાવશે.

તેમણે આગળ જણાવ્યું હતું કે, કોરોના રોગચાળો ફેલાયો તેની શરૂઆતમાં ઘણા નેતાઓ આગળ આવ્યા હતા અને ટેસ્ટિંગ કરાવ્યું હતું તે જોઈને લોકો પણ સામે ચાલીને ટેસ્ટિંગ કરાવવા લાગ્યા હતા. તેવી જ રીતે નેતાઓએ પણ કોરોનાની વેક્સીન માટે રેજિસ્ટ્રેશન કરાવવું જોઈએ જેથી કરીને લોકોમાં પણ વિશ્વાસ થાય.
લેખક વિશે
Himanshu Kaushik
Himanshu Kaushik is Senior Assistant Editor at The Times of India, Ahmedabad. He reports on Wildlife and state government. He takes special interest in reporting on wildlife, especially the lions of Gir. His likes listening to music.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો