એપશહેર

કેવડિયા કોલોનીથી સી-પ્લેનમાં બેસી અમદાવાદ આવવા રવાના થયા મોદી

I am Gujarat 31 Oct 2020, 3:05 pm
કેવડિયા કોલોની: પીએમ મોદીએ અમદાવાદ-કેવડિયા કોલોની વચ્ચે સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવી દીધો છે. આજે તેઓ કેવડિયા કોલોનીમાં બનાવાયેલા વોટર એરોડ્રોમનું ઉદ્ઘાટન કરી સી-પ્લેનમાં બેસી અમદાવાદ આવવા રવાના થયા હતા.
I am Gujarat narendra modi inaugurates seaplane service between kevadia colony and ahmedabad
કેવડિયા કોલોનીથી સી-પ્લેનમાં બેસી અમદાવાદ આવવા રવાના થયા મોદી


મોદીએ સી-પ્લેનમાં સવાર થતાં પહેલા વોટર એરોડ્રોમનું નિરીક્ષણ કર્યું હતું, અને સી-પ્લેનની વિગતો પણ મેળવી હતી. સી-પ્લેનથી તેઓ અડધા કલાકમાં અમદાવાદ આવી પહોંચશે.

અમદાવાદમાં પીએમને વેલકમ કરવાની તૈયારી પૂરી કરી દેવાઈ છે. રિવરફ્રંટ પર બનાવાયેલા વોટર એરોડ્રોમ પર સીએમ રુપાણી પીએમનું સ્વાગત કરશે. અહીંનો કાર્યક્રમ પતાવી પીએમ દિલ્હી રવાના થવાના છે.

બીજી તરફ, સી-પ્લેનનું બુકિંગ પણ ઓનલાઈન શરુ થઈ ગયું છે. આ ફ્લાઈટનું સંચાલન સ્પાઈસજેટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, અને તેની ટિકિટનો દર 1500 રુપિયાથી શરુ થાય છે.

Read Next Story