એપશહેર

ગુજરાતની તમામ સ્કૂલોમાં એપ્રિલ-20થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, વર્ષમાં બે પરીક્ષા લેવાશે

Yogesh Gajjar | I am Gujarat 10 Feb 2020, 8:50 am
અમદાવાદઃ સ્કૂલોમાં એપ્રિલથી નવા કેલેન્ડર વર્ષનો અમલ કરવા અંગે શિક્ષકો અને સ્કૂલોમાં મૂંઝવણ છે ત્યારે રાજ્ય સરકારે કહી દીધું છે કે તે નવા શૈક્ષણિક સત્રનો સરળતાથી અમલ થાય તે માટે તૈયાર છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સેક્રેટરી વિનોદ રાવે કહ્યું, નવું પ્લાનિંગ અમલમાં આવશે. પુસ્તકોની પણ કોઈ અછત નહીં સર્જાય. ધોરણ 9થી 12 સુધીના પુસ્તકોનું પ્રિન્ટિંગ ખતમ થઈ ગયું છે અને તે માર્ચમાં વહેંચવામાં આવશે. ધોરણ 6થી 8ની પુસ્તકોનું 70 ટકા પ્રિન્ટિંગ કામ ખતમ થઈ ગયું છે. જ્યારે ધોરણ 1થી 8સુધીની ચોપડીનું પ્રિન્ટિંગ માર્ચના મધ્ય સુધીમાં ખતમ થશે. રાજ્યના શિક્ષણ વિભાગે માંગને પહોંચી વળવા 50 ટકા વધારે ચોપડી પ્રિન્ટ કરાવી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: જોકે તેમ છતાં એપ્રિલ-માર્ચથી જુન-મે સુધી નવા શૈક્ષણિક સત્રના અમલ માટે હજુ કેટલીક મૂંઝવણ પ્રવર્તી રહી છે. શિક્ષકોનું કહેવું છે કે, આ સર્ક્યુલરમાં ઘણી બાબતો સ્પષ્ટ નથી. ઉપરાંત પેરેન્ટ્સે પણ વેકેશન પ્લાન કેન્સલ કરવા પડશે. સર્ક્યુલરમાં શિક્ષણ વિભાગે સ્કૂલોને એપ્રિલ-20થી નવું શૈક્ષણિક વર્ષ શરૂ કરવા માટે કહ્યું છે, જે એપ્રિલ 2020-21 સુધી ચાલશે. સર્ક્યુલરમાં એમ પણ કહેવાયું છે કે સ્ટ્રેસને ઘટાડવા વર્ષ દરમિયાન ઓક્ટોબર અને માર્ચમાં બે પરીક્ષા લેવાશે. મોટાભાગની સ્કૂલોનું કહેવું છે કે આ નિયમને આ વર્ષે પાઈલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં લાવવો જોઈએ અને આગામી વર્ષથી તેને લાગુ કરવો જોઈએ. આ કાયદામાં મોટી મુશ્કેલી છે કે પરીક્ષા એપ્રિલના બીજા અઠવાડિયામાં યોજાશે. એવામાં સ્કૂલો પાસે રિઝલ્ટ જાહેર કરવામાં મર્યાદીત સમય રહી જશે. ઉપરાંત શિક્ષકો પર પરીક્ષામાં ધ્યાન રાખવાનું, પેપર ચેકિંગ અને ભણાવવાનું કામ વધી જશે. એક શિક્ષકે કહ્યું કે, વિદ્યાર્થીઓને જૂન સુધી ચોપડીઓ નથી મળતી. તેઓ એપ્રિલમાં તેમના માટે પરીક્ષા કેવી રીતે લેશે? ધોરણ 5માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની માતા પૃથા દેસાઈએ કહ્યું, મારી દીકરી બપોરની શિફ્ટમાં છે. તે એપ્રિલમાં ગરમીથી કેવી રીતે બચશે? જોકે કેટલાક લોકો આ નિર્ણયમાં પોઝિટિવ એન્ગલથી જોઈ રહ્યા છે. એક શિક્ષકે કહ્યું, આ નિર્ણયથી શિક્ષણ નીતિ CBSE જેવી બનશે. બે પરીક્ષા સાથે બાળકોમાં સ્ટ્રેસ પણ ઓછો થશે. સ્કૂલોના નાના વેકેશન વિશે શિક્ષણ સેક્રેટરી વિનોદ રાવે કહ્યું, આ પહેલા સ્કૂલો ચાલું જ રહેતી હતી, અમે માત્ર ભણાવવાનું ઉમેર્યું છે. કેન્સલ વેકેશનની વાત કરીએ તો આ નવું કેલેન્ડર પાછલા વર્ષે જ અમલમાં આવી ગયું હતું.

Read Next Story