એપશહેર

કોરોના: છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 209 અને સુરતમાં 160 નવા કેસ નોંધાયા

ગુજરાતમાં 24 કલાકમાં વધુ 988 કેસ સાથે કોરોનાનો કુલ આંકડો 237247 થયો છે.

I am Gujarat 22 Dec 2020, 8:14 pm
અમદાવાદ: હવે ધીરે-ધીરે કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના નવા 209 કેસ નોંધાયા છે જ્યારે બીજી બાજુ 213 દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના નવા 160 કેસ નોંધાયા છે જ્યારે બીજી બાજુ 146 દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં વડોદરામાં કોરોનાના નવા 137 કેસ નોંધાયા છે જ્યારે બીજી બાજુ 213 દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કોરોનાના નવા 133 કેસ નોંધાયા છે જ્યારે બીજી બાજુ 149 દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે.
I am Gujarat q10


દેશમાં કોરોના વાયરસના ગત 24 કલાકમાં માત્ર 19556 કેસ જ સામે આવ્યા છે. જે જુલાઈ પછીના સૌથી ઓછા કેસ છે. આ ઉપરાંત 24 કલાકમાં 301 લોકો મોતને ભેટ્યા છે. એકબાજુ કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી હડકંપ મચ્યો છે તો બીજી બાજુ ભારતમાં 24 કલાકમાં સૌથી વધારે 3423 કેસ કેરળમાં નોંધાયા છે તો ગુજરાતમાં પણ 24 કલાકમાં વધુ 988 કેસ સાથે કોરોનાનો કુલ આંકડો 237247 થયો છે.

અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાતની સ્થિતિ

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો આ મુજબ છે.

રાજ્યમાં નવા નોંધાયેલા અને ડિસ્ચાર્જ કેસની વિગતો આ મુજબ છે.

Read Next Story