એપશહેર

કોરોના: છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 170 અને સુરતમાં 156 નવા કેસ નોંધાયા

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 804 કેસ સામે આવ્યા છે. જેથી હવે કોરોનાનો કુલ આંકડો પણ 243459 થયો છે.

I am Gujarat 29 Dec 2020, 8:07 pm
અમદાવાદ: વિશ્વભરમાં કોરોનાના નવા સ્ટ્રેનથી ચિંતા ફેલાઈ છે તો રસી બનાવતી કંપનીઓ પણ આ મુશ્કેલી સામે લડવા માટે સજ્જ થઈ રહી છે. કોરોના મહામારીએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 804 કેસ સામે આવ્યા છે. જેથી હવે કોરોનાનો કુલ આંકડો પણ 243459 થયો છે.
I am Gujarat w2


જો ગુજરાતના મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 170 કેસ નોંધાયા છે જ્યારે સામે 173 દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 156 કેસ નોંધાયા છે જ્યારે સામે 158 દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 130 કેસ નોંધાયા છે જ્યારે સામે 74 દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 91 કેસ નોંધાયા છે જ્યારે સામે 95 દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે.

અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાતની સ્થિતિ

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો આ મુજબ છે.

રાજ્યમાં નવા નોંધાયેલા અને ડિસ્ચાર્જ કેસની વિગતો આ મુજબ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો