એપશહેર

કોરોના: છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 141 અને સુરતમાં 124 નવા કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે 700થી નીચે કેસ આવ્યા હતા તો આજે પણ રાજ્યમાં 655 નવા કેસ નોંધાયા હતાં.

I am Gujarat 5 Jan 2021, 8:07 pm
અમદાવાદ: રાજ્યમાં હવે ધીરે-ધીરે દરરોજના કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 141 નવા કેસ નોંધાયા છે જ્યારે 142 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના 124 નવા કેસ નોંધાયા છે જ્યારે 134 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં વડોદરામાં કોરોનાના 124 નવા કેસ નોંધાયા છે જ્યારે 192 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કોરોનાના 73 નવા કેસ નોંધાયા છે જ્યારે 91 દર્દીઓ સાજા થયા છે.
I am Gujarat q8
પ્રતીકાત્મક તસવીર


સમગ્ર ભારતમાં કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે ત્યારે વેક્સિનને લઈને સારા સમાચાર આવી રહ્યાં છે. આ દરમિયાન ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે 700થી નીચે કેસ આવ્યા હતા તો આજે પણ રાજ્યમાં 655 નવા કેસ નોંધાયા હતાં. જ્યારે 24 કલાકમાં વધુ 868 દર્દીઓ સ્વસ્થ થતાં હવે રાજ્યમાં રિકવરી રેટ પણ 94.71% થયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો આ મુજબ છે.

રાજ્યમાં નવા નોંધાયેલા અને ડિસ્ચાર્જ કેસની વિગતો નીચે મુજબ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો