એપશહેર

કોરોના: છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 210 અને સુરતમાં 302 નવા કેસ નોંધાયા

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 1404 નવા કેસ નોંધાયા છે. જેથી હવે કોરોનાનો કુલ આંકડો 134623 થયો છે.

I am Gujarat 28 Sep 2020, 8:12 pm
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતના મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 210 કેસ નોંધાયા છે જ્યારે 210 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 302 કેસ નોંધાયા છે જ્યારે 290 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 148 કેસ નોંધાયા છે જ્યારે 32 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 141 કેસ નોંધાયા છે જ્યારે 161 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
I am Gujarat q10


ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની ઝડપ તો ઓછી થઈ છે પરંતુ હજુ પણ વિશ્વમાં દૈનિક કેસ સૌથી વધુ નોંધાઈ રહ્યાં છે. દેશમાં દરરોજ સરેરાશ 80 હજારથી વધુ નવા કેસ નોંધાય છે. જે ચિંતાજનક છે. દેશમાં મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 18056 કેસ તો કર્ણાટકમાં 9543 કેસ તેમજ કેરળમાં 7445 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં પણ 24 કલાકમાં કોરોનાના 1404 નવા કેસ નોંધાયા છે. જેથી હવે કોરોનાનો કુલ આંકડો 134623 થયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત આ મુજબ છે.

રાજ્યમાં કોરોનાના નવા નોંધાયેલા અને ડિસ્ચાર્જ કેસની વિગતો આ મુજબ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો