એપશહેર

કોરોના: છેલ્લા 24 કલાકમાં સુરતમાં 231 અને અમદાવાદમાં 178 નવા કેસ નોંધાયા

ગુજરાતમાં 24 કલાકમાં 1126 નવા દર્દીઓ સાથે કુલ આંકડો પણ 161848 થયો છે.

I am Gujarat 20 Oct 2020, 7:26 pm
અમદાવાદ: ગુજરાતના મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 231 કેસ નોંધાયા છે જ્યારે 244 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 178 કેસ નોંધાયા છે જ્યારે 176 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 104 કેસ નોંધાયા છે જ્યારે 114 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 113 કેસ નોંધાયા છે જ્યારે 99 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
I am Gujarat q8


ભારતમાં 84 દિવસ પછી કોરોનાના 50000થી ઓછા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 46 હજાર નવા કેસ સામે આવ્યા છે. અમેરિકા પછી ભારત જ એવો દેશ છે જ્યાં કોરોનાના નવા કેસો વધી રહ્યાં છે. કોરોનાનો કુલ આંકડો પણ 76 લાખ નજીક પહોંચ્યો છે. ભારતમાં કોરોનાની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં છે તો ગુજરાતમાં પણ 24 કલાકમાં 1126 નવા દર્દીઓ સાથે કુલ આંકડો પણ 161848 થયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત નીચે મુજબ છે.

રાજ્યમાં કોરોનાના નવા નોંધાયેલા અને ડિસ્ચાર્જ કેસોની વિગતો આ મુજબ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો