એપશહેર

કોરોના: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1379 નવા કેસ નોંધાયા, કુલ આંકડો 119088 થયો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 14 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક 3273 થયો છે.

I am Gujarat 17 Sep 2020, 7:51 pm
અમદાવાદ: ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1379 નવા દર્દીઓ નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 119088 પર પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1652 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 99808 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં સાજા થવાનો દર 83.81% નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 14 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક 3273 થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 85,620 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
I am Gujarat q6


અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાતની સ્થિતિ

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો આ મુજબ છે.

રાજ્યમાં નવા નોંધાયેલા અને ડિસ્ચાર્જ થયેલા કેસની વિગતોભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 5,118,253 કેસ નોંધાયા છે. કુલ 83,198 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 4,025,079 દર્દીઓ સાજા થયા છે.

Read Next Story