એપશહેર

કોરોના: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1026 નવા કેસ, કુલ આંકડો 234289 થયો

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના કારણે વધુ 7 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 4227 થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 217935 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

I am Gujarat 19 Dec 2020, 8:01 pm
અમદાવાદ: ગુજરાતમાં ધીરે-ધીરે કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1026 કેસો નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 234289 પર પહોંચ્યો છે. બીજી બાજુ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1252 દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે. રાજ્યમાં કોરોનાને હરાવીને સાજા થવાનો દર 93.02 ટકા નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના કારણે વધુ 7 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 4227 થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 217935 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
I am Gujarat q12


અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતની સ્થિતિ

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો આ મુજબ છે.

રાજ્યમાં નવા નોંધાયેલા અને ડિસ્ચાર્જ કેસોની વિગતો આ મુજબ છે.

Read Next Story