એપશહેર

કોરોના: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 960 નવા દર્દી, કુલ આંકડો 236259 થયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે વધુ 7 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 4241 થયો છે. રાજ્યમાં કોરોના વાયરસને હરાવીને સાજા થવાનો દર 93.28 ટકા નોંધાયો છે.

I am Gujarat 21 Dec 2020, 8:05 pm
અમદાવાદ: ગુજરાતમાં હવે ધીરે-ધીરે કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 960 નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે બીજી બાજુ 1268 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 236259 પર પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે વધુ 7 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 4241 થયો છે. રાજ્યમાં કોરોના વાયરસને હરાવીને સાજા થવાનો દર 93.28 ટકા નોંધાયો છે.
I am Gujarat q7


અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતની સ્થિતિ

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો આ મુજબ છે.

રાજ્યમાં નવા નોંધાયેલા અને ડિસ્ચાર્જ કેસોની વિગતો આ મુજબ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા શહેરમાં કોરોના રસીકરણ માટે સર્વેનું કામ 60 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે જેમાં 50 વર્ષથી ઉપરના નાગરિકોની માહિતી એકઠી કરવામાં આવી રહી છે. AMC મુજબ કોરોના રસીકરણ કાર્યક્રમ અંતર્ગત પહેલા ત્રણ તબક્કામાં અંદાજીત 10 લાખ લોકોને રસી મૂકવામાં આવશે. નગરપાલિકાના અધિકારીઓએ કહ્યું કે 60 ટકા શહેરીજનો પર સર્વે પૂર્ણ થઈ ગયો છે. અંદાજે 5 લાખ લોકો એવા છે જેઓ 50 વર્ષથી મોટી ઉંમરના છે. જ્યારે બાકીના 40 ટકા શહેરીજનોનો સર્વે હજુ બાકી છે.અધિકારીઓએ કહ્યું કે 'અમને આશા છે કે આગામી 10 દિવસમાં સર્વેનું કામ પૂર્ણ થઈ જશે અને ચોક્કસ આંકડો તેના બાદ જ સામે આવશે પરંતુ અમને લાગે છે કે શહેરમાં 50 વર્ષથી મોટી ઉંમરના શહેરીજનોની સંખ્યા 9 લાખની આસપાસ રહેશે.'

Read Next Story