એપશહેર

કોરોના: છેલ્લા 24 કલાકમાં સુરતમાં 225 અને અમદાવાદમાં 170 નવા કેસ નોંધાયા

ગુજરાતમાં 24 કલાકમાં 992 નવા કેસ નોંધાતા કુલ આંકડો 169073એ પહોંચ્યો છે.

I am Gujarat 27 Oct 2020, 7:43 pm
અમદાવાદ: ગુજરાતના મોટા શહેરોમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 225 કેસ નોંધાયા છે અને 275 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 170 કેસ નોંધાયા છે અને 328 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 114 કેસ નોંધાયા છે અને 108 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 94 કેસ નોંધાયા છે અને 92 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
I am Gujarat q8


ભારતમાં 101 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. જેનાથી આશાનું કિરણ જોવા મળ્યું છે. સોમવારે ભારતમાં કોરોનાના 36,604 નવા કેસ સામે આવ્યા હતાં. જે ગત 3 મહિનામાં સૌથી ઓછા છે. આ પહેલા 17 જુલાઈએ 35,065 નવા કેસ સામે આવ્યા હતાં. 24 કલાકમાં ભારતમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ કેરળમાં જોવા મળ્યો હતો જ્યાં 4287 કેસ નોંધાયા હતાં તો ગુજરાતમાં પણ 24 કલાકમાં 992 કેસ નોંધાતા કુલ આંકડો 169073એ પહોંચ્યો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો નીચે મુજબ છે.

રાજ્યમાં નવા નોંધાયેલા અને ડિસ્ચાર્જ કેસોની વિગતો આ મુજબ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો