એપશહેર

ગુજરાતીઓ ચેતી જજો: ફરી માથું ઊંચકી રહ્યો છે કોરોના, નવા 87 કેસ અને 2નાં મોત

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 87 કેસ નોંધાયા છે. જ્યારે સામે 73 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 2 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 10104 પર પહોંચ્યો છે.

I am Gujarat 21 Dec 2021, 8:52 pm
અમદાવાદ: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 87 કેસ નોંધાયા છે. જ્યારે સામે 73 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 2 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 10104 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 33, સુરતમાં 12, વડોદરામાં 11, રાજકોટમાં 6, ખેડા અને વલસાડમાં 5-5, નવસારીમાં 4, આણંદમાં 3, ગાંધીનગર અને કચ્છમાં 2-2, ભરૂચ-જામનગર કોર્પોરેશન-મહેસાણા-રાજકોટ (જિલ્લો)માં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.71 ટકા નોંધાયો છે.
I am Gujarat pablo (2)
પ્રતીકાત્મક તસવીર


રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.71 ટકા નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 818010 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે એક્ટિવ કેસો 589 છે જેમાં 8 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 581 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 2,16,650 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.

દુનિયાના 89થી વધુ દેશોમાં પ્રસરી ચૂકેલો ઓમિક્રોન હવે બ્રિટન પર કહેર વર્તાવી રહ્યો છે. અહીં ઓમિક્રોનના દર્દીઓમાં ધરખમ વધારા સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જેના લીધે બોરિસ જોનસનની સરકાર હવે દેશમાં લોકડાઉન લગાવવા પર વિચાર કરી રહી છે. સરકારને ડર સતાવી રહ્યો છ કે, પ્રતિબંધ લાદવામાં નહીં આવે તો ક્રિસમસ દરમિયાન દેશમાં સ્થિતિ બેકાબૂ થઇ જશે. બ્રિટન દુનિયાના એ પ્રમુખ દેશોમાં સામેલ છે જ્યાં સૌથી પહેલા રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. મોટાભાગની વસતીને રસીના બંને ડોઝ લાગી ગયા પછી અહીં ઓમિક્રોનથી સંક્રમિત કેસનો આંકડો રોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે. ઓમિક્રોનને સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં શોધવામાં આવ્યો હતો. જે પછી હોંગકોંગમાં પણ આ વાયરસ પ્રસર્યો હતો, પરંતુ હાલમાં દુનિયાના 89 દેશોમાં ઓમિક્રોનનું સંક્રમણ ફેલાય ચૂક્યું છે.
માહિતી ખાતાની ક્લાસ 1-2ની ભરતી પ્રક્રિયા પર હાઈકોર્ટે લગાવી રોક, 18મી જાન્યુઆરી સુધી સ્ટે
ઓમિક્રોનને લઇને દુનિયાભરની આરોગ્ય સંસ્થાઓ અને વૈજ્ઞાનિકો ચેતવણી આપી ચૂક્યા છે કે, ઓમિક્રોનને લઇને બેદરકારી સમગ્ર દુનિયાને ભારે પડી શકે છે. તેમના મત મુજબ, ઓમિક્રોન વિશ્વસ્તરે કોરોનાની ત્રીજી લહેરનું કારણ બની શકે છે.

Read Next Story