એપશહેર

CBSEના નવા નિયમથી ગુજરાતના વિદ્યાર્થીઓમાં આશાનું કિરણ?

મિત્તલ ઘડિયા | I am Gujarat 13 Jan 2019, 10:42 am
I am Gujarat new rule of cbse rule bring hope to gujarat students
CBSEના નવા નિયમથી ગુજરાતના વિદ્યાર્થીઓમાં આશાનું કિરણ?


શું છે CBSEનો પ્રસ્તાવ?

બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 2020થી ગણિતની પરીક્ષામાં જરુરી ફેરફાર કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમાં અભ્યાસક્રમ સ્ટાન્ડર્ડ અને બેઝિક એમ બે ભાગ વહેંચાઇ જશે. આ ફેરફારનો હેતુ વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસનું પ્રમાણ ઘટાડવાનો છે.

ગુજરાતના વિદ્યાર્થીઓની વધી આશા

CBSEના આ પગલાંથી ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSHSEB)ના તે વિદ્યાર્થીઓની આશા વધી છે જેના માટે ગણિત કઠિન કસોટી સમાન છે. છેલ્લી બે પરીક્ષાઓમાં ગણિતમાં ફેઇલ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 30 ટકા હતી.

‘આ નિયમથી સ્ટ્રેસ થશે ઓછો’

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી DPSના પ્રિન્સિપલ સુરેન્દ્ર પી. સચદેવાએ આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો. તેમણે કહ્યું કે, ‘જે વિદ્યાર્થીઓ ધોરણ 10 બાદ ગણિતને અનુસરવા માંગતા નથી તેણે ગણિતને લઇને સ્ટ્રેસ ઓછો કરી શકે છે. જો કોઇ વિદ્યાર્થી ગણિતમાં સારો નથી તો હાઇસ્કૂલ લેવલમાં સારા માર્ક્સ લાવી શકશે નહીં’

શું કહે છે નિષ્ણાંતો?

ગુજરાતના નિષ્ણાંતોનું કહેવું છે કે, ‘નવી શિક્ષણ નીતિ આવી તે પહેલા 1971થી 1993ની વચ્ચે સિલેબસનું સમાન માળખું હતું. ઘણાં વિદ્યાર્થીઓ સાયન્સ મીડિયમમાં જવા માંગતા નથી, તેમ છતાં ગણિત ફરજિયાત વિષય હોવાથી તેમને પરીક્ષા આપવી પડે છે’

શું કહે છે શિક્ષકો?

કિરીટ જોશી નામના એક ગણિતના ટીચરનું કહેવું છે કે, ‘જે વિદ્યાર્થીઓ અમુક પ્રકારના બેકગ્રાઉન્ડમાંથી આવે છે જેઓ એક-બે વાર ફેલ થાય તો ડ્રોપ કરી દેતાં હોય છે. જેમાં બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં આવા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે’

‘નિષ્ણાતોના સુચનો બાદ કરાશે વિચાર’

GSHSEBના ચેરમેન એ.જે. શાહનું કહેવું છે કે, ‘હાલ આ મુદ્દા પર કોઇ ચર્ચા-વિચારણાં થઇ રહી નથી. તે વાત સાચી છે કે ગણિતમાં ફેઇલ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે પરંતુ તાત્કાલિક ધોરણે આ નિર્ણય લઇ શકાય નહીં. નિષ્ણાતો પાસેથી સુચનો માંગ્યા બાદ જ આ મુદ્દે વિચાર કરાશે’

CBSEની પેટર્નને ફોલો કરશે GSHSEB?

મળતી માહિતી પ્રમાણે GSHSEBએ CBSEની પેટર્ન ફોલો કરે તેવી શક્યતા છે. જેથી ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીઓ માટે સરખી પોલિસી લાગુ કરાશે તેવી આશા જાગી છે.
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો