અમદાવાદ: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અહીં એક બાળકની 10માંથી નીચે ફેંકીને હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ ચાંદખેડા સ્થિત સ્કાય વોક એપાર્ટમેન્ટમાં ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. નવજાત બાળકને 10માં માળેથી નીચે ફેંક્યો!
આ સમગ્ર ઘટના અંગે પોલીસ કંટ્રોલમાં મેસેજ મળ્યો હતો. જે બાદ પોલીસ દોડતી થઇ છે અને બાળક કોનું હતું અને હત્યારા સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે. સાથે જ તાજેતરમાં કોની-કોની ડિલિવરી થઇ છે, તેની વિગત પણ મેળવવામાં આવી રહી છે. એટલું જ નહીં, સોસાયટીમાં શંકાસ્પદ લોકોના ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવી શકે છે તેવું સૂત્રોના આધારે જાણવા મળ્યું છે.
સુરતમાં પણ બની હતી આવી જ ઘટના!
ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ પહેલા સુરતમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં કોઈએ પોતાનું પાપ છુપાવવા માટે બાળકને ત્યજી દેવાની વાત સામે આવી હતી. સીસીટીવી ચેક કરતા આ બાળકને એક બિલ્ડિંગ પરથી ફેંકી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
રાજકોટ: 4 વર્ષના બાળકની હત્યા કરનારના જામીન નામંજૂરપ્રાપ્ત માહિતી અનુસાર પ્રેમપ્રકરણમાં ચાર વર્ષના એક બાળકની પુલ પરથી નીચે ફેંકી દઇ હત્યા કરી હતી. જેલહવાલે રહેલા આરોપીએ જામીન પર છૂટવા અરજી કરતા સરકારી વકીલ વિરોધ કરી આરોપીએ તેની પ્રેમિકાને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો, પરંતુ પ્રેમિકા પરિણીત હોય અને સંતાનમાં ચાર વર્ષનો બાળક હોવાથી લગ્ન નહિ કરી શકે. ત્યારે આરોપીએ પ્રેમિકા સાથે લગ્ન કરવા પ્રેમિકાના પુત્રનું અપહરણ કરીને હત્યા કરી છે, તેવી રજૂઆત કરવામાં આવતા કોર્ટે આરોપીના જામીન નામંજૂર કર્યા હતા.
આ સમગ્ર ઘટના અંગે પોલીસ કંટ્રોલમાં મેસેજ મળ્યો હતો. જે બાદ પોલીસ દોડતી થઇ છે અને બાળક કોનું હતું અને હત્યારા સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે. સાથે જ તાજેતરમાં કોની-કોની ડિલિવરી થઇ છે, તેની વિગત પણ મેળવવામાં આવી રહી છે. એટલું જ નહીં, સોસાયટીમાં શંકાસ્પદ લોકોના ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવી શકે છે તેવું સૂત્રોના આધારે જાણવા મળ્યું છે.
સુરતમાં પણ બની હતી આવી જ ઘટના!
ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ પહેલા સુરતમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં કોઈએ પોતાનું પાપ છુપાવવા માટે બાળકને ત્યજી દેવાની વાત સામે આવી હતી. સીસીટીવી ચેક કરતા આ બાળકને એક બિલ્ડિંગ પરથી ફેંકી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
રાજકોટ: 4 વર્ષના બાળકની હત્યા કરનારના જામીન નામંજૂરપ્રાપ્ત માહિતી અનુસાર પ્રેમપ્રકરણમાં ચાર વર્ષના એક બાળકની પુલ પરથી નીચે ફેંકી દઇ હત્યા કરી હતી. જેલહવાલે રહેલા આરોપીએ જામીન પર છૂટવા અરજી કરતા સરકારી વકીલ વિરોધ કરી આરોપીએ તેની પ્રેમિકાને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો, પરંતુ પ્રેમિકા પરિણીત હોય અને સંતાનમાં ચાર વર્ષનો બાળક હોવાથી લગ્ન નહિ કરી શકે. ત્યારે આરોપીએ પ્રેમિકા સાથે લગ્ન કરવા પ્રેમિકાના પુત્રનું અપહરણ કરીને હત્યા કરી છે, તેવી રજૂઆત કરવામાં આવતા કોર્ટે આરોપીના જામીન નામંજૂર કર્યા હતા.