એપશહેર

અખબારનગર સર્કલથી રાણીપ બસ સ્ટેન્ડ વચ્ચેનો રસ્તો છ મહિના માટે બંધ કરાયો

નવરંગ સેન | I am Gujarat 27 Aug 2019, 12:17 pm
અમદાવાદ: અખબારનગર સર્કલથી ન્યૂ રાણીપ બસ સ્ટેન્ડ વચ્ચેનો સાડા ચાર કિમી સુધીનો રસ્તો છ મહિના માટે બંધ થઈ રહ્યો છે. મેટ્રો રેલવેનું કામ શરુ થઈ રહ્યું હોવાથી આ રસ્તો 28 ફેબ્રુઆરી 2020 સુધી બંધ રહેશે. આમ પણ આ રસ્તા પર ટ્રાફિકજામની કાયમ સમસ્યા રહે છે, ત્યારે તેના બંધ થવાથી આ સમસ્યા વધુ વકરશે તેવી પૂરી શક્યતા છે. પોલીસ કમિશનર દ્વારા આ અંગે 26 ઓગસ્ટના રોજ જાહેરામું બહાર પાડવામાં આવ્યું છે, જેનો તાત્કાલિક અસરથી અમલ શરુ થઈ ગયો છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો હાલ આ રસ્તા પર આમ પણ મેટ્રોનું કામ ચાલી જ રહ્યું છે. હવે અખબારનગરથી રાણીપ બસ સ્ટેન્ડ જનારા લોકોને સર્કલથી લેફ્ટ ટર્ન લઈ વિશ્વા આર્કેડ (લાડલી જંક્શન) પરથી જમણી સાઈડ વળવું પડશે, ત્યારબાદ સ્વામી વિવેકાનંદ ઈન્સ્ટિટ્યૂટ થઈ શ્રીનાથ ક્રોસરોડ થઈને સૌરભ હાઈસ્કૂલથી પલક ટી થઈને જવાનું રહેશે. આ રુટ પર ટ્રાફિકજામ ન થાય તે માટે પોલીસે તેને નો પાર્કિંગ ઝોન જાહેર કરી દીધો છે. પોલીસે ઈન્દિરાનગરથી મોટેરા રોડનો રસ્તો પણ બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ રોડ પણ મેટ્રોના કામને કારણે 18 ફેબ્રુઆરી 2020 સુધી બંધ રહેશે. તેના વૈકલ્પિક રુટ તરીકે જનપથ ટીથી મોટેરા ગામ તરફ જઈ જમણી તરફ વળાંક લઈને ઓનજીસી સર્કલથી વિસત પહોંચી શકાશે. તેવી જ રીતે, ઈન્દિરાનગર ટીથી ઈન્ડસ હોસ્પિટલ રોડથી બીઆરટીએસ રોડથી ઓએનજીસી સર્કલથી પીવીઆર સિનેમાથી લેફ્ટ ટર્ન લઈ જ શકાશે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો