એપશહેર

અમદાવાદ: રેસ્ટોરન્ટ્સના બિઝનેસ પર પડી રહી છે રાત્રિ કર્ફ્યુની અસર

રેસ્ટોરન્ટ્સમાં બેસીને જમવાનું હોય કે પછી જમવાનું પેક કરીને લઈ જવાનું હોય તેમાં 85% બિઝનેસ સાંજના સમયે થાય છે.

I am Gujarat 10 Dec 2020, 9:06 pm
અમદાવાદ: કોરોના વાયરસની મહામારીના કારણે અમદાવાદ શહેરમાં હાલ રાત્રિ કર્ફ્યુ હોવાને લીધે રેસ્ટોરન્ટ્સ રાત્રે 9 વાગ્યા પહેલા બંધ થઈ જાય છે. આ કારણે રેસ્ટોરન્ટ્સની કમાણી પર ભારે અસર પડી છે. રાત્રિ કર્ફ્યુના કારણે રેસ્ટોરન્ટ્સના ટેકઅવે બિઝનેસને પણ અસર થઈ છે અને કમાણીમાં ખાસ્સો ફરક પડ્યો છે.
I am Gujarat w5


પ્રાપ્ત માહિતી મુજબ, દિવાળી દરમિયાન અમદાવાદમાં એક દિવસમાં ફૂડ પેકેટ્સની 80 હજાર ડિલિવરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે લોકડાઉન પહેલા શહેરમાં વધુ ફૂડ ડિલિવરી થતી હતી. પરંતુ, હવે ફૂડ ડિલિવરીના બિઝનેસમાં 25%નો ઘટાડો નોંધાયો છે કારણકે મોટાભાગના લોકો સાંજના સમયે જમવાનું ઓર્ડર કરે છે પણ હાલ શહેરમાં કોરોનાના કારણે રાત્રિ કર્ફ્યુ લાગુ કરાયો છે.

રેસ્ટોરન્ટ્સમાં બેસીને જમવાનું હોય કે પછી જમવાનું પેક કરીને લઈ જવાનું હોય તેમાં 85% બિઝનેસ સાંજના સમયે થાય છે. પણ, હાલ અમદાવાદમાં કોરોનાના કારણે રાત્રે 9 વાગ્યે કર્ફ્યુ લાગુ કરાતા 8 વાગ્યે રેસ્ટોરન્ટ્સ બંધ કરવી પડે છે. આ કારણે રેસ્ટોરન્ટ્સની કમાણી પર અસર જોવા મળી રહી છે.

હવે ફૂડ-રેસ્ટોરન્ટ્સના બિઝનેસ સાથે જોડાયેલા લોકો સરકાર પાસે એવી માગ કરી રહ્યા છે કે કર્ફ્યુના સમયમાં થોડી રાહત આપો અથવા ટેકઅવે માટેની છૂટ આપો. દિવાળી સમયે જ્યાં આ ફૂડ બિઝનેસે થોડી ગતિ પકડી હતી ત્યાં કર્ફ્યુના કારણે ફરી બ્રેક લાગી ગઈ છે. અમે એવી આશા રાખીએ છીએ કે સરકાર મોડે સુધી ફૂડ ટેકઅવે માટેની મંજૂરી આપે કે જેથી રેસ્ટોરન્ટ્સનો બિઝનેસ ટકી શકે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો