એપશહેર

NIOSના વિદ્યાર્થીઓને રાજ્યની શાળાઓમાં પ્રોવિઝનલ પ્રવેશ મળશે

I am Gujarat 5 Jul 2016, 2:36 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat gujarat/ahmedabad/nios
NIOSના વિદ્યાર્થીઓને રાજ્યની શાળાઓમાં પ્રોવિઝનલ પ્રવેશ મળશે


માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ચાલતી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS)ના વિદ્યાર્થીઓને રાજ્યની શાળા-કોલેજોમાં ઓનલાઈન પ્રિન્ટ કરેલી માર્કશીટના આધારે પ્રવેશ અપાશે. NIOSના પરિણામ આવ્યા બાદ માર્કશીટ ખૂબ જ મોડી આવતી હોઈ NIOSના રિઝનલ ડાયરેક્ટરે શિક્ષણ બોર્ડ સમક્ષ રજૂઆત કરતા હાલમાં NIOSના વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ પ્રવેશ આપવામાં આવશે.

સ્વાયત્ત સંસ્થા NIOS દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા લેવામાં આવે છે. આ બોર્ડ દ્વારા ઘરે બેસીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપી આગળ કારકિર્દી બનાવવાની તક મળે છે. NIOS દ્વારા એપ્રિલ-મેમાં ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા સમગ્ર દેશમાં એક સાથે લેવાઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ પરિણામ તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જૂનના બીજા સપ્તાહમાં NIOS દ્વારા ઓનલાઈન પરિણામ જાહેર કરી દેવાયા છે.

દરમિયાન NIOS દ્વારા સમગ્ર ભારતના તમામ રાજ્યોમાં પરીક્ષા લેવામાં આવતી હોવાથી માર્કશીટ મોડી આવે છે. જ્યારે ગુજરાતમાં શાળા-કોલેજોમાં જૂનની શરૂઆતથી જ પ્રવેશ થઈ જતાં હોય છે. આ સ્થિતિમાં NIOSના વિદ્યાર્થીઓ ગુજરાતમાં પ્રવેશથી વંચિત રહી જાય તેમ હોઈ NIOSના રિઝનલ ડાયરેક્ટરે શિક્ષણ બોર્ડને પત્ર લખી NIOSના વિદ્યાર્થીઓની ઓનલાઈન પ્રિન્ટ કરેલી માર્કશીટના આધારે પ્રોવિઝનલ પ્રવેશ ફાળવવા રજૂઆત કરી હતી.
જ્યારે વિદ્યાર્થીઓના માઈગ્રેશન અને પ્રવેશ માટે જરૂરી અન્ય દસ્તાવેજો પણ અસલ માર્કશીટ સાથે જલ્દી આપવાની NIOS દ્વારા ખાતરી અપાઈ હતી. જેથી શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને પરિપત્ર કરી આ અંગે સૂચના આપી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો