અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ જવાનોના પરિવારજનોની મદદ કરવા માટે ઘણા સંગઠન આગળ આવી રહ્યા છે. લંડનમાં રહેતી નિતિ રાવ પોતાની સેલેરી અને પોકેટ મનીમાંથી બચાવેલા રૂપિયાને ઉરી હુમલામાં શહીદ થયેલા જવાનોના બાળકોને આપવા ઈચ્છે છે. તે શહીદોના બાળકોની મદદ કરવા માટે દર વર્ષે 25 હજાર રૂપિયા આપશે. તેણે જણાવ્યું કે, જો કોઈ બાળક લંડન આવી ભણવા ઈચ્છે તો તે તેના અભ્યાસનો ખર્ચ પણ ઉઠાવશે.
નિતિ લંડન યુનિવર્સિટીમાં સાહિત્યમાં રિસર્ચ કરી રહી છે. તેનો પરિવાર 12 વર્ષથી લંડનમાં રહે છે. તેના પિતા ત્યાં એક પ્રાઈવેટ જોબ કરે છે. તે હાલમાં રજાઓ ગાળવા અમદાવાદ આવી છે. શહીદોના બાળકોની મદદની ઈચ્છા રાખતી નિતિએ જણાવ્યું કે, હાલમાં એક સંસ્થાએ તેને પુરસ્કાર રૂપે 5 લાખ રૂપિયા આપ્યા છે. જે ઉરી હુમલામાં માર્યા ગયેલા શહીદોના બાળકોને આપવામાં આવશે.
નિતિએ જણાવ્યું કે, ‘જ્યારથી મેં ઉરી હુમલાના સમાચાર સાંભળ્યા, ત્યારથી ઘણી વ્યથિત હતી.’ જમ્મુ-કાશ્મીરના ઉરીમાં આર્મી હેડક્વાર્ટર પર થયેલા આતંકવાદી હુમલામાં સૈન્યના 18 જવાનો શહીદ થયા હતા. આ હુમલામાં આર્મીએ ચાર આતંકવાદીઓને ઠાર કરી દીધા હતા.
(એએનઆઈના ઈનપુટ સાથે)
નિતિ લંડન યુનિવર્સિટીમાં સાહિત્યમાં રિસર્ચ કરી રહી છે. તેનો પરિવાર 12 વર્ષથી લંડનમાં રહે છે. તેના પિતા ત્યાં એક પ્રાઈવેટ જોબ કરે છે. તે હાલમાં રજાઓ ગાળવા અમદાવાદ આવી છે. શહીદોના બાળકોની મદદની ઈચ્છા રાખતી નિતિએ જણાવ્યું કે, હાલમાં એક સંસ્થાએ તેને પુરસ્કાર રૂપે 5 લાખ રૂપિયા આપ્યા છે. જે ઉરી હુમલામાં માર્યા ગયેલા શહીદોના બાળકોને આપવામાં આવશે.
નિતિએ જણાવ્યું કે, ‘જ્યારથી મેં ઉરી હુમલાના સમાચાર સાંભળ્યા, ત્યારથી ઘણી વ્યથિત હતી.’ જમ્મુ-કાશ્મીરના ઉરીમાં આર્મી હેડક્વાર્ટર પર થયેલા આતંકવાદી હુમલામાં સૈન્યના 18 જવાનો શહીદ થયા હતા. આ હુમલામાં આર્મીએ ચાર આતંકવાદીઓને ઠાર કરી દીધા હતા.
(એએનઆઈના ઈનપુટ સાથે)