એપશહેર

મહામારીના કારણે નથી થઈ રહ્યા ગરબા, ખેલૈયાઓએ કાઢ્યો નવો રસ્તો

મહામારીના કારણે નવરાત્રીમાં ગરબાને મંજૂરી આપવામાં આવી નથી. ત્યારે કેટલાક ખેલૈયાઓએ આ નવ દિવસના સમયને માણવા માટે વચ્ચેનો રસ્તો કાઢ્યો છે.

TNN 20 Oct 2020, 9:41 am
અમદાવાદઃ ગુજરાતની ઓળખ એટલે ગરબા. ગુજરાતીઓ હંમેશા ગરબા કરવા માટે તૈયાર હોય છે. આપણે ટ્રેડિશનલ આઉટફિટ પર રેઈનકોટ તેમજ હેલ્મેટ પહેરીને કેટલાક ખેલૈયાઓને ગરબે ઘૂમતા જોયા છે, આ સિવાય પેરિસના એફિલ ટાવર પાસે પણ ગુજરાતી પ્રવાસીઓના ગ્રુપને ગરબા કરતાં જોયા છે. આટલું જ નહીં ઉત્તરાયણના દિવસે રાત્રે પણ ધાબા પર બધા ગરબા રમે છે. થોડા દિવસ પહેલા હોસ્પિટલના વોર્ડમાં કોવિડ-19ના દર્દીઓ PPE કિટ પહેરીને ગરબી કરી રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ બધું એ જ દર્શાવે છે કે ગુજરાતીઓ માટે ગરબાનું કેટલું મહત્વ છે.
I am Gujarat નવરાત્રી


હાલ, નવરાત્રી ચાલી રહી છે. સામાન્ય રીતે દર વર્ષે નવે નવ દિવસ પાર્ટી પ્લોટોમાં ખેલૈયાઓની ભારે ભીડ જોવા મળતી હોય છે. જે લોકો પાર્ટી પ્લોટમાં ન જઈ શકતા હોય તેઓ સોસાયટીમાં ગરમા રમીને સંતોષ માની લે છે. પરંતુ આ વખતે મહામારીના કારણે એવું કંઈ થઈ રહ્યું નથી. કોરોનાના કારણે ગરબાને મંજૂરી ન મળતાં દર વર્ષે નવરાત્રી માટે ભારે ઉત્સાહ દર્શાવતા લોકો ગમગીન છે. પરંતુ આ વચ્ચે પણ તેમણે કેટલાક નવા રસ્તા કાઢી લીધા છે.

'હું હાલ ગયા વખતની નવરાત્રીના વીડિયો અને તસવીરો ફરીથી જોઈ રહી છું. આ સિવાય કેટલીક તસવીરોને સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી રહી છું. સાંજે ગરબાના ગીતો પણ વગાડું છું કે જેથી ભૂતકાળમાં જીવેલા સમયને ફરીથી યાદ કરી શકું', તેમ પ્રોફેશનલ અનિતા શાહે જણાવ્યું હતું.

જ્યાં એક તરફ ઘણા લોકો સોશિયલ મીડિયા પર યાદોને જીવંત કરી રહ્યા છે, ત્યાં કેટલાક લોકો એવા પણ છે જેઓ ટ્રેડિશનલ કપડાં પહેરીને ઉત્સવની અનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. શહેરના જોધપુર વિસ્તારમાં રહેતા કેટલાક મિત્રોનું એક ગ્રુપ ભેગુ થયું હતું, બધાએ ચણીયા-ચોળી પહેર્યા હતા અને નવરાત્રી ચાલી રહી છે તે અનુભવવા માટે સાથે બેસીને ભોજન લીધું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો