એપશહેર

સ્કૂલોમાં નવરાત્રિ વેકેશન બંધ, એક જ વર્ષમાં પડતો મૂકાયો નિર્ણય

નવરંગ સેન | I am Gujarat 24 May 2019, 4:49 pm
અમદાવાદ: ગુજરાતની સ્કૂલોમાં નવરાત્રિ વેકેશનની ગયા વર્ષે મોટા ઉપાડે શરુઆત કર્યા બાદ એક જ વર્ષમાં આ નિર્ણય પડતો મૂકવામાં આવ્યો છે. ગયા વર્ષે ભારે વાદ-વિવાદ વચ્ચે કેટલીક સ્કૂલોએ વિદ્યાર્થીઓને નવરાત્રિમાં વેકેશન આપ્યું હતું, જ્યારે કેટલીક સ્કૂલોએ ધરાર શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હતું. જોકે, એક જ વર્ષમાં નવરાત્રિના વેકેશનને બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો નવરાત્રિમાં જેટલા દિવસ વેકેશન અપાતું હતું તેટલા દિવસો દિવાળીના વેકેશનમાં કાપી લેવામાં આવ્યા હતા. જેના કારણે વેકેશનમાં ફરવા જવાના આયોજનો ખોરવાતા હતા. જેથી વાલીઓનો એક વર્ગ તેનાથી નારાજ હતો. વળી, પરીક્ષાઓના ટાઈમ ટેબલ પણ નવરાત્રિના વેકેશન સાથે સુસંગત ન હોવાથી શિક્ષકો પણ નવરાત્રિ વેકેશનની તરફેણમાં નહોતા. જે સ્કૂલોએ નવરાત્રિમાં વેકેશન નહીં અપાય તેવી જાહેરાત કરી હતી તેમની સામે પણ રાજ્ય સરકારે પગલાં લેવાની ચિમકી આપી હતી. આખરે સીબીએસઈની સ્કૂલોને તેમાંથી બાદ કરાઈ હતી. જોકે, ચર્ચાસ્પદ બનેલી નવરાત્રિમાં વેકેશનની જોગવાઈને જ સરકારે આખરે રદ્દ કરી દીધી છે. આ ઉપરાંત, શિક્ષણ વિભાગ દ્વારા હવેથી ધોરણ 9 અને 11માં રિટેસ્ટ ન લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી આ બંને ધોરણોમાં નાપાસ થતાં સ્ટૂડન્ટ્સને એક મોકો અપાતો હતો. જોકે, હવેથી તે પણ બંધ કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો