એપશહેર

PM મોદીના સમર્થક રહી ચૂકેલા પારસોલી મોટર્સના ઝફર સરેશવાલા અને પુત્ર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ

એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા સમર્થક રહી ચૂકેલા ઉદ્યોગપતિ ઝફર સરેશવાલા અને તેમના દીકરા વિરુદ્ધ કલોલની કોર્ટ દ્વારા બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યો છે. પારસોલી મોટર્સના ડાઈરેક્ટર્સ સામે ચેક રિટર્નના એક કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ઝફર સરેશવાલાની પાસપોર્ટ પણ જપ્ત કરી લેવાનો કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

Edited byZakiya Vaniya | I am Gujarat 14 Aug 2022, 8:18 am
એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થક રહી ચૂકેલા અમદાવાદના જાણીતા વેપારી તેમજ પારસોલી મોટર્સના ડિરેક્ટર ઝફર સરેશવાલા અને તેમના દીકરા હબીબ ઝફર સરેશવાલા સામે ચેક રિટર્ન કેસમાં કલોલની કોર્ટ દ્વારા બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યો છે. પિતા-પુત્ર વિરુદ્ધ નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કલોલની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેની કાર્યવાહી દરમિયાન તેઓ હાજર રહેતા નહોતા. કોર્ટે વોરંટ જાહેર કરવાની સાથે સાથે ઝફર સરેશવાલાનો પાસપોર્ટ જપ્ત કરવાનો આદેશ રિજનલ પાસપોર્ટ ઓફિસને આપ્યો છે.
I am Gujarat zafar sareshwala
વેપારી ઝફર સરેશવાલા અને પુત્ર વિરુદ્ધ વોરંટ જાહેર.


બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન કપાતમાં ગઈ, વળતર માટે ફ્લેટના જૂના અને નવા માલિક વચ્ચે થયો વિવાદ
વિગતવાર વાત કરવામાં આવે તો, ફરિયાદીનું નામ રિધમ મુકેશભાઈ શેઠ છે અને તેઓ કલોલમાં રહે છે. 20 કરોડ રુપિયા જેટલી રકમના ચેક રિટર્ન થયા હોવાનો દાવો ફરિયાદી દ્વારા કરવામાં આવ્યો છે. ફરિયાદીની દલીલ છે કે, પારસોલી મોટર્સના ડિરેક્ટર્સ આ બાબતે સંતોષકારક જવાબ નથી આપતા, જેથી તેમણે કલોલની તાલુકા કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. રિધમ શેઠે પારસોલી મોટર્સ વર્કર્સ પ્રાઈવેટ લિમિટેડના ડાઈરેક્ટર્સ તલ્હા યુનુસ સરેશવાલા, ઉમર ઉવેશ સરેશવાલા, હબીબ ઝફર સરેશવાલા, ઉવેસ યુનુસ સરેશવાલા અને ઝફર યુનુસ સરેશવાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે ઝફર સરેશવાલા અને તેમના દીકરા વિરુદ્ધ આ પ્રકારની ચાર ફરિયાદો વર્ષ 2019માં નોંધાઈ હતી. આ કેસની સુનાવણી માટે કોર્ટ દ્વારા ઝફર સરેશવાલા તેમજ અન્ય ડિરેક્ટર્સને હાજર રહેવા માટે અવારનવાર સમન્સ પાઠવવામાં આવતા હતા. પરંતુ આ લોકો કોર્ટમાં હાજર રહેવાના સ્થાને વિવિધ બહાના દર્શાવીને ટાળતા હતા. આખરે ફરિયાદી રિધમ શેઠના વકીલ એસ.જે. ઠાકરે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી અને દલીલ કરવામાં આવી હતી કે કેસને લાંબો ચલાવવા માટે આરોપીઓ હાજર નથી રહેતા.

પ્રેમ લગ્ન કરનારુ યુગલ High Courtમાં ગયું, ચૂકાદો સાંભળી રાજીના રેડ થઈ ગયા
બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા પછી કોર્ટે ઝફર સરેશવાલા અને હબીબ સરેશવાલા વિરુદ્ધ વોરંટ ઈશ્યુ કર્યો હતો. હબીબ સરેશવાલા અત્યારે દુબઈમાં હોવાને કારણે તેના વોરંટ બાબતે ગૃહ મંત્રાલયને જાણ કરવામાં આવશે. કોર્ટે 10 દિવસમાં કાર્યવાહીનો રિપોર્ટ જમા કરવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટે જોયું કે ઝફર સરેશવાલાએ કોર્ટમાં હાજર ન રહેવા બદલ કારણ આપ્યુ હતું કે તેમને કોરોના થયો હોવાને કારણે ડોક્ટરે પ્રવાસ ન કરવાની સલાહ આપી છે. પરંતુ તે સમયની તેમની સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર તેઓ અલગ અલગ સ્થળોએ ફરી રહ્યા હતા અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપી રહ્યા હતા.

Read Next Story