એપશહેર

પુત્રની કોલેજ ફી માટે પિતાએ જમીન વેચવી પડી, હવે IPS બની ગૌરવ વધાર્યું

Mitesh Purohit | I am Gujarat 14 Oct 2019, 2:16 pm
દરેક મા-બાપનું સપનું હોય છે કે તેનું સંતાન પોતાના જીવનમાં એવી સિદ્ધિ હાંસલ કરે કે તેને જોવા માટે લોકોએ ગરદન ઉચી કરવી પડે. ઉત્તરપ્રદેશના પીલીભીતના નાનકડા ગામ હરરાયપુરમાં જન્મેલા નૂરુલ હસની વાત પણ કંઈક આવી જ છે. જેમાં પિતાએ દીકરાની ફી ભરવા માટે ગામની જમીન વેચી દીધી. તે દીકરાએ પિતાના ત્યાગનું કરજ IPS અધિકારી બનીને ઉતાર્યું.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: નૂરુલે આર્થિક સ્થિતિ સામે લડીને અને સંસાધનોના અભાવ વચ્ચે પોતાને સાબિત કર્યો છે. વર્ષ 2015માં તેઓ IPS અધિકારી બન્યા. પણ આ પહેલા ગમે તેવી સ્થિતિ હોય તેમણે હાર ન માની. તેમણે ગરીબી જોઈ અને મુશ્કેલી પણ જોઈ તેમ છતા ક્યારેય હાર ન માની અને આજે દેશમાં ટોચની કહેવાતી સિવિલ પરીક્ષા પાસ કરીને ફરજ નિભાવી રહ્યા છે. અમારા સહયોગી ટાઇમ્સ નાઉ હિંદી સાથે વાત કરતા પોતાના સંઘર્ષને યાદ કરીને આજે પણ નૂરુલની આંખોમાં પાણી આવી જાય છે.હું ખૂબ જ ગરીબી વચ્ચે મોટો થયો છું. અમારી સ્કૂલમાં તો છત ન હતા જેવી જ હતી. વરસાદમાં પાણી પડતું તો ઘરેથી બીજુ એક્સ્ટ્રા કપડું લઈને જતો કે ભીનામાં બેસી શકાય. મને ધો. 10માં 67 ટકા આવ્યા અને 12 ધોરણમાં 75 ટકા મેળવ્યા. અમે જ્યાં રહેતા હતા ત્યાં ગટરના પાણી ભરાયેલા રહેતા આ બધા વચ્ચે પણ હું મારું બધુ ધ્યાન ભણતર પર રાખતો હતો.ધો. 12 પછી મારું સિલેક્શન એએમયુ અલીગઢમાં B.tech માટે થઈ ગયું. પરંતુ અમારી પાસે ફી ભરવાના રુપિયા નહોતા જેથી પિતાએ ગામડે તેમની પાસે જે જમીન હતી તે વેચી દીધી અને મે પણ ખૂબ જ મન લગાવીને અભ્યાસ કર્યો. મને કોલેજમાંથી જ ગુડગાંવની એક કંપનીમાં પ્લેસમેન્ટ મળ્યું પરંતુ આ સેલેરીમાંથી ઘરની જરુરિયાતો પૂરી જ કરવી મુશ્કેલ હતી. તેવામાં મે ભાભા એટોમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની પરીક્ષા આપી અને મારી પસંદગી મુંબઈના તારાપુરમાં આવેલ ભાભા એટોમેટિક રિસર્ચ સંસ્થાનમાં વૈજ્ઞાનિકના પદે થઈ ગઈ. હાલ હું એટોમિક સેન્ટર નરૌરામાં પોસ્ટિંગ પર છું.મને પછી સિવિલ પરીક્ષા આપવા માટે મન થયું અને પબ્લિક એડમિસ્ટ્રેશનના વિષય સાથે પરીક્ષા આપી. હું નાનો હતો ત્યારે જ્યારે પણ ખેતરે કામ કરવા જતો ત્યારે ચોપડીઓ તો સાથે જ લઈ જતો હતો અને જ્યારે પણ સમય મળે ત્યારે વાંચતો હતો. જોકે UPSCના ઇન્ટર્વ્યુમાં મને મારા વિષય કરતા વધારે ન્યુક્લિયર સંબંધિત પ્રશ્નો પૂછ્યા કેમ કે હું ન્યુક્લિયર વૈજ્ઞાનિક હતો. આ ઉપરાંત એન્જિનિયરિંગ, બંધારણ અને ક્રિકેટ સંબંધિત પ્રશ્નો કર્યા.UPSCની તૈયારી કરતા યુવાનોને પ્રોત્સાહન આપતા નૂરુલે કહ્યું કે ‘ગરીબીને કોસો નહીં. જે પણ સાધનો છે તેની સાથે તૈયારી કરો. મહેનત અને લગન સાથે અભ્યાસ કરો. સાથે જ દેશના તમામ મુસ્લિમ યુવાનોને સંદેશ આપવા માગું છું કે આ દેશ ખૂબ જ સુંદર અને તેની પ્રગતિ માટે કામ કરો. પોતાની મહેનતના બળે આગળ આવો.’Video: અમાદવાદમાં 8 વર્ષના છોકરાે કાર ચલાવી અને અનેકને કચડ્યા

Read Next Story