એપશહેર

NRG સંમેલનમાં વિદેશમાં વસતા ગુજરાતીઓનું સન્માન

I am Gujarat 14 Dec 2016, 12:38 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat gujarat/ahmedabad/nrg
NRG સંમેલનમાં વિદેશમાં વસતા ગુજરાતીઓનું સન્માન


વિદેશમાં રહીને પોતાના વતનના વિકાસમાં ફાળો આપતા નોન રેસિડેન્ટ ગુજરાતીઓને બિરદાવવા માટે મંગળવારે સાંજે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ખાતે એક સંમેલનનું આયોજન થયુ હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા રાજ્યપાલ ઓ.પી. કોહલીએ જણાવ્યું હતું કે, એનઆરજી જે દેશમાં રહેતા હોય તે દેશ ને પ્રગતિના માર્ગે લઈ જવાની સાથે પોતાના વતનના ઈકોનોમિક અને સોશિયલ ડેવલપમેન્ટ માટે એજ્યુકેશન, મેડિકલ, વેડિંગ ટુરિઝમ અને એવી અનેક એક્ટિવિટી થકી ફાળો આપતા હોય છે. ૨.૫ કરોડ ઈન્ડિયન ડાયસપોરામાં 65 લાખ ગુજરાતીઓ છે, જે ખાસ કરીને યુએસએ, કેનેડા, યુકે, સેટલ થયેલા છે.

GOPIOના સ્ટડી અબ્રોડ પ્રોગ્રામ અને ડાયસપોરા સ્ટડીસના એડવાઈઝર-કો ઓર્ડિનેટર ડો. નીરજા એ. ગુપ્તાએ જણાવ્યું હતું કે, વતનથી જોડાયેલા રહેવું એ ગુજરાતી અને દરેક ભારતીયની સંસ્કૃતિ છે. ધર્મજમાં 11,500નું પોપ્યુલેશન છે, જેમાંથી 60 ટકા વિદેશ રહે છે. આમ છતાં તેઓ દર વર્ષે પોતાના હોમ ટાઉનને રૂ.1100 કરોડ આપે છે. 600 કુટુંબવાળા કચ્છના નાના ગામને વિદેશનમાં રહેતાં વતનીઓ વર્ષે રૂ.૨૫૦ કરોડ આપે છે.

ચેમ્બરના એનઆરજી કમિટીના ચેરમેન કે. એચ. પટેલે જણાવ્યુ હતું કે, કે એનઆરજી ડિપાર્ટમેન્ટ શરૂ કરીને ગુજરાત સરકારે વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે અનેક વિકલ્પો આપ્યા છે. આ વિભાગ અંતર્ગત ઓસીઆઈ કાર્ડ, ગુજરાત કાર્ડ અપાય છે. જીસીસીઆઈની એનઆરજી વિંગ 2008માં સ્થપાઈ હતી, ત્યારબાદ એનઆરજી અને સ્થાનિકો માટે ઘણાં પ્રોગ્રામનું આયોજ થયું છે. જીસીસીઆઈના પ્રેસિડેન્ટ બિપીન પટેલે અતિથિઓને આવકાર્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો