એપશહેર

સરકારના 'શિક્ષક સજ્જતા સર્વેક્ષણ'નો ફિયાસ્કો, લાગ્યું શિક્ષકોના આક્રોશનું 'ગ્રહણ'

મંંગળવારે રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકો માટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ યોજાયુું હતું. જેમાં માંડ 37 ટકા જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો.

Agencies 25 Aug 2021, 8:11 am

હાઈલાઈટ્સ:

  • શિક્ષકોના વિરોધ વચ્ચે ગુજરાત સરકારે મંગળવારે યોજ્યું 'શિક્ષક સજ્જતા સર્વેક્ષણ'
  • પ્રાથમિક શાળાના મોટાભાગના શિક્ષકોએ ભાગ ન લેતા 'શિક્ષક સજ્જતા સર્વેક્ષણ'નો ફિયાસ્કો
  • ગુજરાતમાં પ્રાથમિક શાળાના શિક્ષકોની સંખ્યા 1.92 લાખ જેટલી છે, જેમાંથી 37%એ ભાગ લીધો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat pablo (1)
તસવીર સૌજન્યઃ TOI
અમદાવાદઃ રાજ્યમાં મંગળવારે યોજાયેલી શિક્ષક સજ્જતા સર્વેક્ષણન ફિયાસ્કો થયો હોવાનું સામે આવ્યું છે. સરકારી દાવા મુજબ 57 હજાર શિક્ષકો સર્વેક્ષણમાં જોડાયા હતા. જ્યારે શૈક્ષિક સંઘના દાવા પ્રમાણે 30 હજાર શિક્ષકો પણ જોડાયા નહોતા. બંને દાવા મુજબ સર્વેક્ષણ નિષ્ફળ ગયું હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. કારણ કે ગુજરાતમાં પ્રાથમિક શાળાના શિક્ષકોની સંખ્યા 1.92 લાખ જેટલી છે. જો કે, સરકારના દાવા પ્રમાણે સર્વેક્ષણ માટે 1.51 લાખ શિક્ષકો લાખ હતા અને તેમાંથી 37 ટકાએ ભાગ લીધો હતો. જ્યારે સંઘના કહેવા પ્રમાણે, 1.91 લાખ શિક્ષકોમાંથી 15 ટકા એ જ ભાગ લીધો હતો.
રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકો માટે મંગળવારે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેની સામે શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આ સર્વેક્ષણને શિક્ષકોના અપમાન સમાન ગણાવીને રદ્દ કરવા માટે રજૂઆત કરી હતી. પરંતુ સરકાર સર્વેક્ષણ માટે મક્કમ હોવાથી અંતે સંઘ દ્વારા સર્વેક્ષણનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો.

આવતા અઠવાડિયે વરસાદ દક્ષિણ ગુજરાતમાં બોલાવશે રમઝટ, હવામાન વિભાગની આગાહી
મંગળવારે બપોરે શરૂ થયેલા સર્વેક્ષણમાં મોટાભાગના જિલ્લાઓમાં શિક્ષકો સર્વેક્ષણમાં ભાગ લેવા પહોંચ્યા નહોતા. સરકારે આ સર્વેક્ષણ મરજિયાત રાખ્યું હોવા છતા સંઘના વિરોધના પગલે અનેક શિક્ષકો આ સર્વેક્ષણથી દૂર રહ્યા હતા. રાજ્યના મોટા શહેરોમાં તો અનેક સર્વેક્ષણ સેન્ટર પર માત્ર એક-એક શિક્ષક હાજર રહ્યા હોવાના ચિત્ર જોવા મળ્યા હતા. જ્યારે અન્યિ જિલ્લાઓમાં પણ ખૂબ ઓછી સંખ્યામાં શિક્ષકો સર્વેક્ષણ માટે હાજર રહ્યા હોવાનું સામે આવ્યું હતું.

રાજ્યના 85 ટકા જેટલા શિક્ષકોએ સર્વેક્ષણથી દૂર રહીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સર્વેક્ષણ એ એક રીતે પરીક્ષા હોવાથી શિક્ષકો સર્વેક્ષણથી અળગા રહ્યા હતા.

4 મહિનાથી કોમામાં સરી પડેલા પ્રોફેસરના પરિવારને મળ્યા હાર્દિક પટેલ, ખબરઅંતર પૂછ્યા
સર્વેક્ષણના પરિણામ પરથી આગામી તાલીમનું આયોજન કરાશે

હવે સરકાર દ્વારા આ સર્વેક્ષણના પરિણામનું પૃથ્થકરણ કરીને શિક્ષણ વિભાગ, કયા શિક્ષકોને કયા મુદ્દાઓની તાલીમની જરૂર છે તેનો રિપોર્ટ તૈયાર કરશે અને તાલીમનું આયોજન કરશે.

પ્રાથમિક શૈક્ષિક સંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે 'શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો રીતસરનો ફિયાસ્કો થયો છે. સમગ્ર રાજ્યના 1.91 લાખ જેટલા શિક્ષકો પૈકી 30 હજાર જેટલા શિક્ષકો પણ સર્વેક્ષણમાં નહોતા જોડાયા. સર્વેક્ષણને લઈને શિક્ષકોમાં જે વિરોધ હતો તેના લીધે સર્વેક્ષણથી શિક્ષકો અળગા રહ્યા હતા અને એકતા દર્શાવી હતી'.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો