એપશહેર

અ'વાદઃ પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓની દયનીય સ્થિતિ, દિવસમાં એકવાર જમવા મળે છે

Yogesh Gajjar | TNN 14 May 2020, 9:03 am
અમદાવાદઃ દેશમાં કોરોના વાયરસના કેસોને જોતા લોકડાઉનને ત્રીજા તબક્કામાં 17મી મે સુધી લંબાવવામાં આવ્યું છે. પરિણામે ઘણા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ગરીબો પાસે અન્ન ખૂટી પડ્યું છે અને મદદમાં મળતા ફૂડ પેકેટ્સ કે રાશન પણ માંડ મળી રહ્યા છે. એવામાં તેઓ કપરી પરિસ્થિતિમાં મૂકાયા છે. આવી જ સ્થિતિ પાકિસ્તાનથી અમદાવાદમાં આવેલા હિન્દુ શરણાર્થીઓની બની છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:મંસારામ મકવાણા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી પોતાની પત્ની અને બે બાળકો સાથે લોકડાઉનના ચાર દિવસ પહેલા અમદાવાદ આવ્યા હતા. તે હાલમાં યાત્રાના વિઝા પર અહીં છે અને તેણે ભારતમાં શરણ લેવા લાંબા સમયના વિઝા માટે એપ્લાય કર્યુ છે. દેશભરના લોકડાઉનના કારણે મકવાણા પાસે પૈસા કે ખોરાક કશું નથી.આ વિશે વાત કરતા મંસારામ કહે છે, ‘જ્યારે અમે અહીં આવ્યા ત્યારે અમે કેટલાક દિવસો માટે ક્વોરન્ટાઈન કરાયા હતા અને દિવસમાં બે વખત ભોજન મળતું હતું. જોકે લોકડાઉનના ત્રીજા તબક્કા બાદથી અમને દિવસમાં માત્ર એક જ વાર ભોજન મળે છે.’આવી જ સ્થિતિ પાકિસ્તાનથી આવેલા 52 અન્ય હિન્દુ શરણાર્થીઓની પણ છે, જે લોકડાઉનના થોડા સમય પહેલા જ અમદાવાદમાં આવ્યા હતા. જબરજસ્તી ઈસ્લામ ધર્મ અંગીકારથી બચવા પાકિસ્તાન છોડીને આવેલો મંસારામ કહે છે, હું જીવન નિર્વાહ માટે દરજી કામ શરૂ કરવા ઈચ્છતો હતો, પરંતુ લોકડાઉનના કારણે ન કરી શક્યો.અમદાવાદ જિલ્લા કલેક્ટર કે.કે નિરાલાએ કહ્યું, AMC વિસ્તારોમાં લોકડાઉનના કારણે ખોરાક પહોંચાડવામાં મુશ્કેલી પડી હોઈ શકે છે. તેમને વધારે ખોરાક મળી રહે તેની અમે ખાતરી કરીશું. કલેક્ટર નિરાલાએ આગળ કહ્યું, ‘અમે અન્ન બ્રહ્મા સ્કિમ અંતર્ગત તેમને અનાજ આપીશું.’

Read Next Story