અમદાવાદઃ જનસંઘના નેતા અને અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલ્લ બારોટનું નિધન થતા આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રફુલ્લ બારોટ બે દિવસ અગાઉ પોતાના ઘરની છત પર લપસી પડતા ઇજાગ્રસ્ત થયા હતા. ટુંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું. પ્રફુલ બારોટ અમદાવાદના જાણીતા વકીલ હતા.
PM મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે 'નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે. અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના અવસાનથી દુઃખ અનુભવું છું. અમદાવાદના વિકાસ કાર્યોમાં તેઓનું યોગદાન સદાયે એમની યાદ અપાવતું રહેશે.'
CM રૂપાણીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના નિધનથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. અમદાવાદની વિકાસયાત્રામાં
એમનું યોગદાન સદાય સ્મરણીય રહેશે.
દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત અધ્યક્ષ સી.આર. પાટીલે પણ બારટોના અવસાનના સમાચાર મળતા શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વીટર પર લખ્યું કે 'અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટજીનાં અવસાનથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. અમદાવાદનાં વિકાસ માટે એમણે કરેલા કાર્યો ક્યારેય ભૂલાશે નહીં. ઇશ્વર એમનાં દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના. ઓમ શાંતિ
એમનું યોગદાન સદાય સ્મરણીય રહેશે.