એપશહેર

અમદાવાદઃ UN મહેતામાં નવી બાળ હ્રદયરોગ હોસ્પિટલનું PM મોદી કરશે લોકાર્પણ

લોકાર્પણ પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા આજે આ નવી બિલ્ડિંગમાં સુવિધાઓ, સારવારને લગતી મશીનરીનું સ્થળ નિરીક્ષણ કર્યુ હતું.

I am Gujarat 21 Aug 2020, 5:17 pm
અમદાવાદઃ હ્રદયરોગ માટે સમગ્ર દેશમાં પ્રતિષ્ઠિત અમદાવાદની યુ. એન. મહેતા હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં હજારો દર્દીઓ સારવાર અર્થે આવે છે. પડોશી રાજ્યોમાંથી પણ દર્દીઓનો ધસારો રહેતો હોવાથી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં જ બાળ હ્યદયરોગ માટે નવીન બિલ્ડીંગ નિર્માણનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે બિલ્ડીંગ હવે પૂર્ણતાના આરે છે. ટુંક સમયમાં તેનું લોકાર્પણ પીએમ મોદી કરી શકે છે. લોકાર્પણ પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા આજે આ નવી બિલ્ડિંગમાં સુવિધાઓ, સારવારને લગતી મશીનરીનું સ્થળ નિરીક્ષણ કર્યુ હતું.
I am Gujarat pm modi to inaugurate a new childrens heart hospital before nitin patel visited the hospital
અમદાવાદઃ UN મહેતામાં નવી બાળ હ્રદયરોગ હોસ્પિટલનું PM મોદી કરશે લોકાર્પણ


આ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 'યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં જ વિસ્તૃતિકરણ કરીને બાળ હ્યદયરોગ માટે નવીન બિલ્ડીંગનું ટૂંક સમયમાં જ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરાવવામાં આવશે.'

આ નવા બિલ્ડિંગની નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે લીધી મુલાકાત


રાજ્ય સરકાર દ્વારા 300 કરોડ રૂપિયાના ખર્ચે આ ચાર માળનું અત્યાધુનિક બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે. આજે આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે સાથે આરોગ્ય સચિવ ડૉ. જયંતિ રવિ તેમજ યુ. એન. મહેતા હાર્ટ ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર આર. કે. પટેલ પણ હાજર રહ્યા હતા.

કોરોનાકાળમાં ઉપયોગમાં આવ્યું આ નવું બિલ્ડિંગ
યુ. એન. મહેતાની નવનિર્મિત બિલ્ડીંગનો પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં 2 મહીના સુધી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો