એપશહેર

'ખાદી ઉત્સવ'માં PM મોદીએ રેંટિયો કાંત્યો, 'અટલ' ફૂટ ઓવર બ્રિજને ખૂલ્લો મૂક્યો

PM Modi Gujarat Visit: વડાપ્રધાન 3 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે સીએમ પટેલ અને કે કૈલાસનાથન સાથે બે કલાક સુધી મીટિંગ કરી હતી. ત્યારબાદ તેઓ ખાદી ઉત્સવમાં ભાગ લેવા માટે સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. ખાદી ઉત્સવમાં સંબોધન બાદ તેઓ સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર અટલ ફૂટ ઓવરબ્રિજનું ઉદઘાટન કરશે.

Authored byદીપક ભાટી | I am Gujarat 27 Aug 2022, 7:14 pm
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ તેમણે ગુજસેલ ખાતે મુખ્યમંત્રી સહિતનાઓ સાથે મીટિંગ કરી હતી. ત્યારબાદ તેઓ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં 7500 મહિલા ખાદી-કારીગરો એક જ સમયે એકસાથે ચરખો કાંત્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ પણ તેમની સાથે-સાથે રેંટિયો કાંત્યો હતો. ત્યારબાદ વડાપ્રધાન રિવરફ્રન્ટ પર તૈયાર થયેલા અટલ ફૂટ ઓવર બ્રિજનું ઉદઘાટન કર્યું હતું. ખાદી મહોત્સવમાં સંબોધન કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે, 'આઝાદીના 75 વર્ષ નિમિત્તે 7,500 બહેનો-દીકરીઓએ ચરખા પર સૂતર કાંતીને ઈતિહાસ રચ્યો છે. ચરખા કાંતતા મને મારા બાળપણના દિવસો યાદ આવી ગયા.'
I am Gujarat PM Modi Gujarat Visit
PM મોદીએ રેંટિયો કાત્યો


પીએમ મોદીએ ચરખો કાંત્યો
પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન 3 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે સીએમ પટેલ અને કે કૈલાસનાથન સાથે બે કલાક સુધી મીટિંગ કરી હતી. ત્યારબાદ તેઓ ખાદી ઉત્સવમાં ભાગ લેવા માટે સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા અને મહિલાઓ સાથે તેમણે પણ ચરખો કાંત્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પીએમ 2014થી ખાદીને પ્રમોટ કરવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છે. આવતી કાલનો તહેવાર પણ એ પ્રયાસોનો જ એક ભાગ છે. ખાદીની માંગ 2014થી ચાર ગણી વધી છે. ગુજરાતમાં આ માંગ આઠ ગણી વધી છે. કાર્યક્રમ મુજબ આવતીકાલે તેઓ ભુજ જશે. તેઓ ત્યાં અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને તેનું ઉદ્ઘાટન પણ કરશે. ભારતમાં સુઝુકીના 40 વર્ષ પૂર્ણ થવા પર પીએમનો એક કાર્યક્રમ ગાંધીનગરમાં સંબોધન છે.
અટલ ફૂટ ઓવર બ્રિજનું ઉદઘાટન
પીએમ મોદીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા ફૂટ ઓવર બ્રિજનું ઈ-ઉદઘાટન કર્યું. આ પુલનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી રાખવામાં આવ્યું છે. આકર્ષક ડિઝાઇન અને LED લાઇટિંગથી સજ્જ, આ પુલ લગભગ 300 મીટર લાંબો અને 14 મીટર પહોળો છે અને તે રિવરફ્રન્ટના પશ્ચિમ છેડે આવેલા ફૂલ બગીચાને અને પૂર્વ છેડે કલા અને સંસ્કૃતિ કેન્દ્રને જોડે છે.
રાહદારીઓ ઉપરાંત સાઇકલ સવારો પણ નદી પાર કરવા માટે આ પુલનો ઉપયોગ કરી શકશે. આ પુલના નિર્માણમાં 2,600 મેટ્રિક ટન સ્ટીલ પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને રેલિંગ કાચ અને સ્ટીલની બનેલી છે.

વીર બાલક સ્મારકનું ઉદ્ઘાટનવડાપ્રધાન રવિવારે કચ્છના અંજાર શહેરમાં 'વીર બાલક સ્મારક'નું ઉદ્ઘાટન કરશે. 26 જાન્યુઆરી 2001 દરમિયાન ગુજરાતમાં ભૂકંપ, 185 શાળાના બાળકો અને 20 શિક્ષકો કચ્છના અંજાર શહેરમાં એક રેલીમાં ભાગ લેતી વખતે નજીકની ઇમારતોના કાટમાળ નીચે દટાયા હતા. આ ઘટનાની દુર્ઘટના સમગ્ર વિશ્વમાં જોવા મળી હતી. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ બાળકોની યાદમાં સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી. હવે આ સ્મારક અંજાર શહેરની બહાર તૈયાર છે અને વડાપ્રધાન તેનું ઉદ્ઘાટન કરશે. આ સ્મારકનું નિર્માણ કાર્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવ્યું છે. મૃતકોના પરિવારના 100 સભ્યોને ઉદ્ઘાટનમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો