એપશહેર

PM Narendra Modiનો Convoy એક Ambulance માટે અટકાવી દેવાયો, તેઓ Ahmedabadનો કાર્યક્રમ પૂર્ણ કરીને Gandhinagar જઈ રહ્યા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi Convoy)ની કારમાંથી લેવાયેલો વધુ એક વિડીયો સામે આવ્યો છે. આ વખતે દેખાય છે કે એક એમ્બ્યુલન્સ મોદીના કાફલાની પાછળ આવી જતા તેના માટે તમામ ગાડીઓને રોકીને એમ્બ્યુલન્સને (PM Modi Convoy Stop For Ambulance) જગ્યા કરી આપવામાં આવી હતી. વડાપ્રધાન અમદાવાદનો કાર્યક્રમ પૂર્ણ કરીને ગાંધીનગર પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. હર્ષ સંઘવીએ આ વિડીયો શેર કર્યો છે.

Authored byTejas Jingar | I am Gujarat 30 Sep 2022, 2:40 pm

હાઈલાઈટ્સ:

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો એમ્બ્યુલન્સ માટે અટકી ગયો
  • હાઈ સ્પીડમાં જતા કાફલાએ અટકીને એમ્બ્યુલન્સને જગ્યા આપી
  • પીએમના કાફલામાંથી લેવાયેલો વિડીયો થઈ રહ્યો છે વાયરલ
હાઈલાઈટ ટેક્સ્ટ
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતો હોય છે. કોઈ ચકલું પણ રોડ પર ફરકે નહીં તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે. પરંતુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં દેખાય છે કે એક એમ્બ્યુલન્સ કે જે ઈમર્જન્સી સર્વિસ આપવા માટે રોડ પર ઉતરતી હોય છે તેને આવતી જોઈને વડાપ્રધાન મોદીનો કાફલો જે હાઈ સ્પીડમાં જતો હોય છે તે અટકી ગયો હતો. આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે અને આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. આ ઘટના એ સમયે બની હતી કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો અમદાવાદથી ગાંધીનગર જઈ રહ્યો હતો.
વડાપ્રધાન મોદીનો કાફલો જ્યારે અમદાવાદના કાર્યક્રમ પતાવીને પરત ગાંધીનગર જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એમ્બ્યુલન્સ આવતા તેને પહેલા રસ્તો આપવા માટે પીએમ મોદીના કાફલાને અટકાવી દેવામાં આવ્યો હતો. વિડીયોમાં દેખાય છે કે કાળ રંગની મોદીના કાફલાની કાર જઈ રહી છે ત્યારે ત્યાંથી એક એમ્બ્યુલન્સ કાફલાને પાછળ છોડીને આગળ નીકળી જાય છે.

રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વિડીયો શેર કર્યો છે અને તેમણે પીએમના કાફલા દ્વારે જે પગલું ભરવામાં આવ્યું તેની પ્રશંસા કરી છે. હર્ષ સંઘવીએ લખ્યું છે કે, "લોકો તરફી સરકાર.. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારમાં ગાંધીનગરથી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે એક એમ્બ્યુલન્સને રસ્તો આપીને પહેલા જવા દેવાઈ હતી."

ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરના બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે ત્યારે તેમણે ગઈકાલે સુરત, ભાવનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેલા વડાપ્રધાન મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગઈકાલે તેમણે સુરત તથા ભાવનગરમાં રોડ-શો કર્યો હતો અને સભાને સંબોધી હતી. આ પછી અમદાવાદમાં આયોજિત 36માં નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન પણ કરાવ્યું હતું. આ પછી તેમણે જીએમડીસી ગ્રાઉન્ડ પર આયોજિત નવરાત્રી મહોત્સવમાં માતાજીની આરતી ઉતારીને પૂજા-અર્ચના કરી હતી.

પોતાના પ્રવાસના બીજા દિવસે એટલે કે શુક્રવારે સવારે વડાપ્રધાન મોદી ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી બતાવીને તેની મુસાફરી કરીને કાલુપુર પહોંચ્યા હતા આ પછી તેઓ અહીં મેટ્રોમાં પણ બેઠા હતા. હવે વડાપ્રધાન મોદી ગાંધીનગરથી સાંજે અંબાજીમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને માતાજીના દર્શન પણ કરવાના છે. અંતમાં તેઓ 7.45 વાગ્યે ગબ્બર પર થનારી મહાઆરતીમાં હાજરી આપશે અને 8 વાગ્યે પરત દિલ્હી જવા માટે રવાના થઈ જશે.

Read Next Story