એપશહેર

એરપોર્ટ પર ઉતરતા જ કેશુભાઈ અને મહેશ-નરેશને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિગ્ગજ નેતા અને કલાકારોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અમદાવાદ આવી પહોંચ્યા

I am Gujarat 30 Oct 2020, 11:54 am
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો બે દિવસનો ગુજરાત પ્રવાસની શરુઆત કેવડિયાથી કરવાના હતા જોકે, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને ગુજરાતી ફિલ્મ જગતના દિગ્ગજ નરેશ અને મહેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સીધા દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા. તેમણે કેશુભાઈ પટેલ અને નરેશ-મહેશને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ પહોંચ્યા હતા. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાના આશિર્વાદ લેવા માટે તેમના ઘરે પણ જવાના છે.
I am Gujarat pm narendra modi reached to ahmedabad to pay homage to keshubhai and mahesh naresh
એરપોર્ટ પર ઉતરતા જ કેશુભાઈ અને મહેશ-નરેશને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા મોદી


ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પાયાના પથ્થર ગણાતા કેશુભાઈ પટેલનું ગઈકાલે નિધન થઈ ગયું જેમને શ્રદ્ધાંજલી આપવા માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા હતા. આ સાથે વડાપ્રધાન ગુજરાતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ નરેશ અને મહેશ કનોડિયાને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. હવે તેઓ આ કાર્યક્રમ બાદ પોતાના માતા હીરાબાના આશિર્વાદ લેવા માટે પહોંચી શકે છે.

વડાપ્રધાન મોદી આજે બપોરે કેવડિયા પહોંચવાના હતા પરંતુ ગુજરાતમાં બનેલી કેશુભાઈ અને નરેશ-મહેશના નિધનને ધ્યાનમાં રાખીને તેઓ પહેલા કેવડિયા જવાના બદલે અમદાવાદ આવી પહોંચ્યા હતા.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબર એમ બે દિવસ માટે ગુજરાતના મહેમાન બન્યા છે. આ દરમિયાન વડાપ્રધાન કેવડિયામાં આયોજિત વિવિધ ઉદ્ઘાટન અને શિલાન્યાસના કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ સી-પ્લેનમાં અમદાવાદ આવી પહોંચવાના છે.

કેશુભાઈ, નરેશ-મહેશને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદી માતા હીરાબાના આશિર્વાદ લેવા માટે જશે તેમ માનવામાં આવી રહ્યું છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ કોરોના વાયરસના કારણે લાંબા સમયથી તેઓ ગુજરાતના પ્રવાસે નથી આવ્યા જેના કારણે આ વખતે તેઓ માતા હીરાબાના આશિર્વાદ લેવા માટે જઈ શકે છે. વડાપ્રધાન મોદી પોતાના જન્મદિવસે એટલે કે 17 સપ્ટેમ્બરના દિવસે માતા હીરાબાના આશિર્વાદ લેતા હોય છે જોકે, આ વર્ષે તેઓ આવી શક્યા નહોતા માટે આજે તેઓ માતાના આશિર્વાદ લેવા માટે પહોંચશે તેમ માનવામાં આવી રહ્યું છે.

કેવડિયા પહોંચીને વડાપ્રધાન મોદી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે અહીં વડાપ્રધાન 4 નવા પ્રોજેકટ એટલે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીના વહીવટી ભવન, સરકારી વસાહતો, SRP ક્વાટર્સ તથા કેવડિયાની આજુબાજુ 5 ગામોના અસરગ્રસ્તોને વસાવવા માટે તમામ પાયાની સુવિધાઓ સાથેની 400 મકાનની આદર્શ ગામ વસાહતનો શિલાયન્સ પણ કરવાના છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો