નવગુજરાત સમય > ગાંધીનગર
ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ સહિતના વિરોધીઓ દ્વારા ફેલાવાતા જુઠાણાઓ સામે સત્ય હકીકતોથી જનતાને વાકેફ કરવા સોશિયલ મીડિયા આર્મી મેદાનમાં ઉતારવાની તૈયારી શરૂ કરી છે. ૨૦૧૨થી ૨૦૧૪ની જાહેર ચૂંટણીઓ દરમિયાન તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ આ માધ્યમનો ઉપયોગ કર્યો હતો અને હાલ તેઓ રાષ્ટ્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર આ જ માધ્યમથી જનતાને પ્રેરિત કરી શકે છે. તેમાંથી બોધપાથ લઇને કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારોની વિવિધ જનલક્ષી યોજનાઓ, કાર્યક્રમોથી લોકોને વાકેફ કરવા આ માધ્યમનો ઉપયોગ કરવા પર ભાર મુકાયો હતો.
આજે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં તથા રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતિષની ઉપસ્થિતિમાં પ્રદેશ આઇટી સેલ સોશિયલ મીડિયા સેલની એક બેઠક કમલમ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ઓચિંતા આવી પહોંચીને હાજરી આપી પ્રદેશમાંથી આવેલા ચારસો કાર્યકરોને સંબોધ્યા હતા. આ સેમિનારમાં આઇટી સેલના રાષ્ટ્રીય કન્વિનર અમિત માલવીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રમુખે જુઠાણાઓને સાચી હકીકતોથી પરાસ્ત કરવા ‘હું છું ગુજરાત’ નામનું એક અભિયાન લોન્ચ કર્યું હતું. રાજ્યભરમાં બુથ લેવલથી માંડીને પ્રદેશ સ્તર સુધીનું એક સોશિયલ મીડિયા નેટવર્ક ઊભું કરવાનું નક્કી કરાયું હતું.
બેઠકમાં રૂપાણીએ સોશિયલ મીડિયા થકી વિરોધીઓના જુઠાણાઓ સામે સત્ય હકીકત પ્રજા સમક્ષ મુકવા પર ભાર મુક્યો હતો. પ્રમુખ વાઘાણીએ સોશિલય મીડિયા કેટલું અસરકારક ઉપયોગી થઇ શકે તેના પર પ્રકાશ પાડ્યો હતો. વી.સતિષે લોકોના મન સુધી સત્ય પહોંચાડવાની જવાબદારી કાર્યકરોની છે તેનું સૂચન કર્યું હતું. પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ મંડલથી લઇને પ્રદેશ સ્તર સુધી કેવી રીતે માળખું ઊભું કરવું તેની સમજ આપી હતી.
ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ સહિતના વિરોધીઓ દ્વારા ફેલાવાતા જુઠાણાઓ સામે સત્ય હકીકતોથી જનતાને વાકેફ કરવા સોશિયલ મીડિયા આર્મી મેદાનમાં ઉતારવાની તૈયારી શરૂ કરી છે. ૨૦૧૨થી ૨૦૧૪ની જાહેર ચૂંટણીઓ દરમિયાન તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ આ માધ્યમનો ઉપયોગ કર્યો હતો અને હાલ તેઓ રાષ્ટ્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર આ જ માધ્યમથી જનતાને પ્રેરિત કરી શકે છે. તેમાંથી બોધપાથ લઇને કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારોની વિવિધ જનલક્ષી યોજનાઓ, કાર્યક્રમોથી લોકોને વાકેફ કરવા આ માધ્યમનો ઉપયોગ કરવા પર ભાર મુકાયો હતો.
આજે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં તથા રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતિષની ઉપસ્થિતિમાં પ્રદેશ આઇટી સેલ સોશિયલ મીડિયા સેલની એક બેઠક કમલમ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ઓચિંતા આવી પહોંચીને હાજરી આપી પ્રદેશમાંથી આવેલા ચારસો કાર્યકરોને સંબોધ્યા હતા. આ સેમિનારમાં આઇટી સેલના રાષ્ટ્રીય કન્વિનર અમિત માલવીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રમુખે જુઠાણાઓને સાચી હકીકતોથી પરાસ્ત કરવા ‘હું છું ગુજરાત’ નામનું એક અભિયાન લોન્ચ કર્યું હતું. રાજ્યભરમાં બુથ લેવલથી માંડીને પ્રદેશ સ્તર સુધીનું એક સોશિયલ મીડિયા નેટવર્ક ઊભું કરવાનું નક્કી કરાયું હતું.
બેઠકમાં રૂપાણીએ સોશિયલ મીડિયા થકી વિરોધીઓના જુઠાણાઓ સામે સત્ય હકીકત પ્રજા સમક્ષ મુકવા પર ભાર મુક્યો હતો. પ્રમુખ વાઘાણીએ સોશિલય મીડિયા કેટલું અસરકારક ઉપયોગી થઇ શકે તેના પર પ્રકાશ પાડ્યો હતો. વી.સતિષે લોકોના મન સુધી સત્ય પહોંચાડવાની જવાબદારી કાર્યકરોની છે તેનું સૂચન કર્યું હતું. પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ મંડલથી લઇને પ્રદેશ સ્તર સુધી કેવી રીતે માળખું ઊભું કરવું તેની સમજ આપી હતી.