એપશહેર

સરકાર ગોચરનો વેપાર માટે ઉપયોગ ન થવા દે: વિહિપ

I am Gujarat 20 Mar 2016, 5:03 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat politics 382
સરકાર ગોચરનો વેપાર માટે ઉપયોગ ન થવા દે: વિહિપ


ગુજરાતની અંદર ગોચરની જમીનનો અન્ય કાર્ય માટે ઉપયોગ થઇ રહ્યો છે, તે બંધ થાય અને ગોચરની જમીન વેપાર-ધંધા માટે ઉપયોગ ન કરવા દે તેવી માગણી કરીએ છીએ. સાથે જે ગોચર છે, તે બિનઉપજાઉં છે, ત્યાં ઘાસ ઉગાડવા માટેનો પ્રયત્ન કરે તે સમયની માગ છે. એ જ રીતે ગૌભક્તનું મૃત્યુ થયું છે, તેવી ઘટના પુન: ન થાય તે માટે પણ પ્રશાસનને સાવચેત રહેવા માટે અપીલ કરીએ છીએ, એમ કેન્દ્રિય મંત્રી, ગૌરક્ષા આયામ, વિશ્વ હિન્દુ પરિષદના નરેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે.

તેમણે કહ્યું કે ગોચરની જમીન અન્ય ઉપયોગ માટે ફાળવી દેવાય છે, તે માટે રાજકીય પક્ષો જવાબદાર છે, પછી તે ભાજપ હોય કે કોંગ્રેસ. આજે સમય છે કે ગાય હિન્દુઓના ખીલેથી કેમ છૂટી ગઇ? તેનો વિચાર કરી અને ફરીથી ગૌમાતા, ગોપાલકનાં ખીલે બંધાય તે માટે ગાયનાં માત્ર દૂધ ઉપર નહીં, ગોબર-ગોમૂત્ર સહિત પંચગવ્યનો ઉપયોગ કરી ગોવંશને બચાવવાનું કાર્ય થઇ શકે છે. સાથે જ જ્યાં સુધી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રહેશે.

વિહિપ-ઉત્તર ગુજરાત પ્રાંતના ગૌરક્ષા વિભાગના મંત્રી જેઠાલાલ હરવાણીએ જણાવ્યું કે ગુજરાતમાં જે ગોવંશરક્ષાનો કાયદો છે, તેનો સરકાર કડક અમલ કરે. ગોચરની જમીન વેપાર-ધંધા માટે આપી દીધી છે, તે પરત લઇ લેવી જોઇએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો