એપશહેર

સારંગપુરમાં બિરાજમાન પ્રમુખસ્વામીનું સ્વાસ્થ્ય સ્થિર અને સંતુલિત છે

I am Gujarat 16 Jul 2016, 5:56 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat pramukhswami maharajs health is stable
સારંગપુરમાં બિરાજમાન પ્રમુખસ્વામીનું સ્વાસ્થ્ય સ્થિર અને સંતુલિત છે


બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના વડા અને મહાન સંત, મહાન સંત, 95 વર્ષીય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું સ્વાસ્થ્ય સંતુલિત છે અને તેઓને વેન્ટિલેટર કે લાઈફ સપોર્ટ મશીન પર રાખવામાં આવ્યા નથી. શારીરિક દુર્બળતાને કારણે અત્યારે તેઓનાં દર્શન થઇ શકશે નહીં.

સાધુ બ્રહ્મવિહારીદાસજી કે જેઓ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, સારંગપુર ખાતે જ છે, તેમણે જણાવ્યું છે કે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વડા અને મહાન સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને છેલ્લા કેટલાક સમયથી છાતીમાં ઇન્ફેક્શન થયું હોવાથી તેઓ તબીબોની સારવાર હેઠળ તીર્થધામ સારંગપુરમાં વિશ્રામ લઈ રહ્યા છે. તેઓને વેન્ટિલેટર કે લાઈફ સપોર્ટ મશીન પર રાખવામાં આવ્યાના સમાચારમાં તથ્ય નથી. તેઓનું સ્વાસ્થ્ય સંતુલિત છે. 95 વર્ષની ઉંમર અને શારીરિક દુર્બળતાને કારણે તેમનું સ્વાસ્થ્ય ધીમે ધીમે સુધરી રહ્યું છે. હાલમાં તેઓનાં દર્શન થઈ શકશે નહીં. સ્વાસ્થ્યની અનુકૂળતા થશે ત્યારે તેઓનાં દર્શનનો લાભ મળી શકશે.

ઉલ્લેખનીય છે કે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પોતાનું જીવન લોકસેવામાં સમર્પિત કર્યું છે અને 17,590 ગામડાઓ અને નગરોમાં ભ્રમણ કરીને અસંખ્ય લોકોને પવિત્ર પ્રેરણા આપી છે. અનેક કષ્ટો જીવનભર વેઠીને તેમણે સમાજનાં પ્રત્યેક ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમની પ્રેરણાથી વિશ્વભરમાં અનેકવિધ સામાજિક, આધ્યાત્મિક અને માનવસેવાની પ્રવૃત્તિ દિવસ-રાત ચાલી રહી છે. તેઓનાં સાધુતામય, પવિત્ર, આધ્યાત્મિક જીવનનો પ્રભાવ અનેક લોકોના જીવનનાં પરિવર્તનનું કારણ બન્યો છે.

એટલે કે આદિવાસીઓનાં ગરીબ ઝૂંપડાથી લઇને દેશ-વિદેશનાં બૌદ્ધિકો સુધી અસંખ્ય લોકો તેમને હૃદયપૂર્વક આદર આપે છે. ગત વર્ષે જ પૂર્વ રાષ્ટ્રપતિ અને જાણીતા વિજ્ઞાની ડો.એ.પી.જે.અબ્દુલ કલામે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં જીવન ઉપર આધારિત પુસ્તક ટ્રેન્સેન્ડન્સ(પરાત્પર) લખીને પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને અર્પણ કર્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો