એપશહેર

ગાંધીનગરમાં અરવલ્લીના PSIએ પાણીની બોટલ માટે કોન્સ્ટેબલને લાફો મારી દીધો!

શુક્રવારે કોંગ્રેસનું આદિવાસી સંમેલન યોજવાનું હોવાથી ગાંધીનગર ઉપરાંત આસપાસના જિલ્લામાંથી પણ પોલીસ અધિકારીઓ અને જવાનોને ફરજ માટે ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. ત્યારે સચિવાલય સંકુલ પાસે ફરજ પર રહેલા અરવલ્લીના PSIએ ત્યાં હાજર ઈન્ફોસિટીના કોન્સ્ટેબલ પાસેથી પાણીની બોટલ મંગાવી હતી. જો કે, કોન્સ્ટેબલે બોટલ આપવાની ના પાડતા PSIએ પિત્તો ગુમાવ્યો અને જેમ ફાવે તેમ ગાળો બોલી કોન્સ્ટેબલને લાફો માર્યો હતો.

Edited byદીપક ભાટી | Agencies 26 Mar 2022, 5:00 pm
ગાંધીનગર: શુક્રવારે ગાંધીનગરમાં કોંગ્રેસના આદિવાસી સંમેલનને પગલે અન્ય જિલ્લામાંથી પણ પોલીસ બોલાવાઈ હતી. ત્યારે બપોરના સમયે સચિવાલય પાસે ફરજ પર રહેલા અરવલ્લીના પીએસઆઈએ કોન્સ્ટેબલને લાફો મારી દેતા મામલો બિચક્યો હતો. પોલીસકર્મીએ પાણીની બોટલ માટે કોન્સ્ટેબલનો લાફો માર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા અને મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
I am Gujarat Gandhinagar police News
ગાંધીનગરમાં આદિવાસી અને ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન બનેલી ઘટના


પાણીની બોટલ ના આપતા PSIએ પિત્તો ગુમાવ્યો
મીડિયા રિપોર્ટ અનુસાર ગાંધીનગરમાં વિધાનસભાના સત્ર વચ્ચે શુક્રવારે કોંગ્રેસનું આદિવાસી સંમેલન યોજવાનું હોવાથી ગાંધીનગર ઉપરાંત આસપાસના જિલ્લામાંથી પણ પોલીસ અધિકારીઓ અને જવાનોને ફરજ માટે ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. ત્યારે સચિવાલય સંકુલ પાસે ફરજ પર રહેલા અરવલ્લીના PSIએ ત્યાં હાજર ઈન્ફોસિટીના કોન્સ્ટેબલ પાસેથી પાણીની બોટલ મંગાવી હતી. જો કે, કોન્સ્ટેબલે બોટલ આપવાની ના પાડતા PSIએ પિત્તો ગુમાવ્યો અને જેમ ફાવે તેમ ગાળો બોલી કોન્સ્ટેબલને લાફો માર્યો હતો.

બનાવની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા
આ દરમિયાન ત્યાં હાજર અન્ય પોલીસકર્મીઓમાં સન્નાટો છવાયો હતો. બીજી તરફ PSIએ લાફો મારી દેતા કોન્સ્ટેબલે ઉપરી અધિકારીને ફરિયાદ કરી હતી, જેના પગલે ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને મામલાને થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, આ ઘટનામાં હજી સુધી PSI સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ગાંધીનગર ખાતે વિવિધ મુદ્દે કોંગ્રેસનું આદિવાસી સંમેલન યોજાયું હતું, જેમાં કોંગ્રેસ દ્વારા તાપી-પાર-નર્મદા રિવર લિંક યોજનનાની ચર્ચા કરરવા સરકાર વિધાસભામાં સમય ફાળવે તેવી માંગણી સાથે ઉગ્ર વિરોધ બાદ આદિવાસી વિરોધી યે સરકાર નહીં ચલેગીના સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી તરફ છેલ્લા કેટલાક દિવસતી ખેડૂતોને પૂરતી અને નિયમિત વીજળી મળતી ન હોવાના મુદ્દે રાજ્યભરના ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. શુક્રવારે ગાંધીનગરમાં ટ્રેક્ટર રેલી યોજી ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો અને સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપી માંગણીઓ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો