એપશહેર

અમદાવાદના શખ્સે પત્નીને કેનેડા લઈ જઈને કમાવાનો પ્લાન બનાવ્યો હતો, મોટો દાવ થઈ ગયો

વર્ક પરમિટ મેળવવાની લાલચે 47 વર્ષના શખ્સે 22 લાખ રૂપિયા ગુમાવ્યા છે. આ નાગેન્દ્ર સોની નામના રાણીના શખ્સે તેની પત્ની સાથે કેનેડા જઈને ત્યાં કામ કરવાની લાલચે રૂપિયા ગુમાવ્યા છે. હવે આ મામલે સાઈબર ક્રાઈમમાં અલગ-અલગ કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. કેનેડામાં વર્ક પરમિટના વીઝા આપવાની વાત કરીને તેમને ટિકિટો આવી હોવાની ખોટી વાતો પણ કરવામાં આવી હતી.

Edited byTejas Jingar | TNN 6 Nov 2022, 10:00 am
કેનેડામાં બહારના દેશોના લોકોને અહીંની જરુરિયાતો પૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં વીઝા અને PR આપવામાં આવી રહ્યા છે, જેમાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓની એપ્લિકેશન સૌથી વધુ છે. વિદેશમાં જઈને વસવાનો ગુજરાતીઓનો ઉમળકો જોઈને છેતરપિંડી કરતી ગેંગો પણ એક્ટિવ થઈને લોકોની સાથે છેતરપિંડી કરી રહી છે. આ ગેંગ વધુ એક શખ્સ ફસાયો છે કે જેણે કેનેડા જવાની લહાયમાં રૂપિયા 22 લાખ ગુમાવ્યા છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
I am Gujarat Canada visa fraud in Ahmedabad
અમદાવાદમાં કેનેડા જવાની લાલચે 47 વર્ષનો શખ્સ છેતરાયો


રાણીપના નગેન્દ્ર સોની નામના 47 વર્ષના શખ્સે પોલીસે ફરિયાદ નોંધાવી છે અને જણાવ્યું છે કે કોઈ વ્યક્તિએ તેની સાથે 22.85 લાખની છેતરપિંડી કરી છે, છેતરપિંડી કરનારા વ્યક્તિ દ્વારા નગેન્દ્રને તથા તેમના પત્નીને કેનેડાની વર્ક પરમિટ આપવાની લાલચ આપીને છેતરપિંડી કરી છે.

સાયબર ક્રાઈમ પોલીસે શુક્રવારે નગેન્દ્રની ફરિયાદના આધારે 406 (વિશ્વાસઘાત) 420 (છેતરપિંડી), 465 (બનાવટ કરવી), 468 (છેતરવા માટે બનાવટ કરવી), 471 (ખોટા દસ્તાવેજ બનાવવા) અને 120B (ગુનાહિત ષડ્યંત્ર) જેવી કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. નાગેન્દ્ર સોનીએ પોલીસને જણાવ્યું કે તે હાલ બેકાર છે. તેમણે આ વર્ષે જૂનમાં કેનેડા વર્ક પરમિટની જાહેરાત જોઈ હતી.

તેમણે જે વ્યક્તિનો સંપર્ક કર્યો હતો તેણે પોતાનું નામ સુનિલ કુમાર હોવાનું જણાવ્યું હતું, આ પછી તેમને ત્યાંના વીઝા મેળવવા માટે 15 લાખનો ખર્ચ થવાની વાત કહી હતી. આ પછી નાગેન્દ્રએ તેમના પત્ની સાથે કેનેડા જવા માટે વિગતો જણાવી અને 60 હજાર રૂપિયા સુનિલને આપ્યા હતા. સુનિલે તેમને રૂપિયા ચૂકવ્યાની પહોંચ પણ આપી હતી. આ પછી સુનિલે જણાવ્યું કે તેમની સાથે નંદિની તમને નોકરી વિશેની વિગતો જણાવશે.

આમ નાગેન્દ્રને શિકાગો ઈન્ટરનેશનલ કંસ્ટ્રક્શન કંપનીના નામે 3,650 કેનેડિયન ડૉલરની નોકરીની ઓફર કરવામાં આવી હતી. આ પછી તેમને પાસપોર્ટ દિલ્હી એડ્રસ પર મોકલવા માટે કહેવામાં આવ્યું હતું. આ પછી સુનિલે નાગેન્દ્રને વધુ 6.25 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે જણાવ્યું હતું. આ પછી તેમનું કામ થઈ ગયું હોવાનું કહીને આંગડિયા દ્રારા 16 લાખ રૂપિયા મોકલવા માટે કહેવામાં આવ્યું હતું. નાગેન્દ્રનેએ આમ કર્યું અને રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.

આ પછી તેમને કેનેડાની ટિકિટ આપવામાં આવી અને 9 સપ્ટેમ્બરે તેમને કેનેડા જવાનું છે તેમ જણાવવામાં આવ્યું હતું, જોકે, ઓગસ્ટે 29એ તેમની ટિકિટ કેન્સલ થઈ હોવાનું કહેવામાં આવ્યું હતું. આ પછી આ મામલે નાગેન્દ્રને તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમને ખોટી વર્ક પરમિટની વાત કરીને ફસાવવામાં આવ્યા છે. તેમને કોઈ ટિકિટ આપવામાં આવી નથી. આ પછી તેમણે પોતાની સાથે થયેલી 22.85 લાખની છેતરપિંડીની ફરિયાદ નોધવામાં આવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો