એપશહેર

રથયાત્રામાં ક્યારે શું થયું, જાણો...

નવરંગ સેન | I am Gujarat 4 Jul 2019, 6:47 am
રથો નિજ મંદિર પહોંચ્યા
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથ રાત્રે 9.30એ નિજ મંદિરે પરત ફર્યા હતા. હવે અહીં તેમની નજર ઉતારાશે. ત્યારબાદ સુભદ્રા અને બલરામની મૂર્તિઓને મંદિરમાં પાછી મૂકવામાં આવશે. જ્યારે ભગવાન જગન્નાથ આખી રાત રથમાં જ રહેશે અને સવારે આરતી કર્યા બાદ જગન્નાથની મૂર્તિને મંદિરમાં પાછી મૂકવામાં આવશે.
નિજ મંદિરે ઊમટી રહી છે ભક્તોની ભીડ
ભગવાન જગન્નનાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથ દરિયાપુરની રંગીલા ચોકીથી નિજ મંદિર તરફ જવા નીકળ્યા તે સાથે જ જમાલપુરમાં આવેલા જગન્નાથના નિજ મંદિરે ભક્તોની ભીડ જમા થવાની શરૂ થઈ ગઈ હતી. સૌથી પહેલા ગજરાજ નિજ મંદિરે પહોંચ્યા હતા.નમાઝના સમયે થંભી ગઈ રથયાત્રા
દરિયાપુરમાંથી રથયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે નમાઝનો સમય થઈ જતાં રથયાત્રામાં ડ્રમ, ઢોલ-નગારા વગાડવાનું બંધ કરી દેવાયું હતું અને અખાડીયનોએ તેમના કરતબ રોકી દીધા હતા. આ રીતે રથયાત્રા દરમિયાન કોમી એખલાસનું વાતાવરણ જોવા મળ્યું હતું. દરિયાપુરમાં ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસનું સ્વાગત કર્યું હતું. તેમજ વિસ્તારમાં કબૂતર ઉડાડી શાંતિનો સંદેશ અપાયો હતો.રથયાત્રા જોવા આવેલા લોકો પર કરાયો પ્રસાદનો વરસાદજુઓ, કેવી રીતે કોમી એખલાસનું પ્રતિક બની રથયાત્રાશાહપુરમાં પોલીસે ડ્રોન વિમાન ઉડાડ્યુંગજરાજની સવારી દરિયાપુર પહોંચીમોસાળમાં રોકાયા બાદ જગન્નાથનું નિજ મંદિર તરફ પ્રયાણજુઓ, જગન્નાથનું મામેરુંસરસપુરમાં રોકાણ બાદ આગળ ચાલશે રથયાત્રા
જ્યાં જુઓ ત્યાં ભીડ જ ભીડસરસપુર પહોંચી રથયાત્રા
વડોદરામાં રથયાત્રામાં તલવારબાજીના કરતબપ્રસાદની મેટ્રોએ જગાવ્યું આકર્ષણ
રથયાત્રામાં વિવિધ થીમ પર શણગારેલી ટ્રકો ખાસ્સું આકર્ષણ જગાવતી હોય છે. જોકે, આ વખતે મેટ્રો ટ્રેનની થીમ પર બનેલી ટ્રક કૂતુહલનો વિષય બની હતી. આ ટ્રક પર પાછું લખ્યું હતું કે, ‘પ્રસાદની મેટ્રો’..રથયાત્રાનો આગળનો હિસ્સો સરસપુર આવી પહોંચ્યો.
સરસપુર પહોંચ્યા ગજરાજ, થોડા સમયમાં ભગવાનના રથ પણ મામાના ઘરે પહોંચશે.ઢાળની પોળ પાસે રથયાત્રાનો અદ્દભૂત નજારોભક્તોના અનેરા ઉત્સાહ વચ્ચે આગળ વધી રહી છે રથયાત્રાત્રણેય રથ જગન્નાથ મંદિરેથી પ્રસ્થાન કરી ચૂક્યા છે. ગજરાજની આગેવાનીમાં રથયાત્રા અમદાવાદના રસ્તાઓ પર આગળ વધી રહી છે. થોડીવારમાં રથયાત્રા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે આવી પહોંચશે, જ્યાં કોર્પોરેશનના અધિકારીઓ અને હોદ્દેદારો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. રથયાત્રામાં ભજનમંડળીઓ, અખાડા, શણગારેલી ટ્રકો પણ ખાસ્સું આકર્ષણ જગાવી રહી છે.રંગબેરંગી ભજન મંડળીએ જોરદાર આકર્ષણ જમાવ્યુંવર્લ્ડકપની થીમ પર શણગારાઈ ટ્રક
રથયાત્રામાં દેખાયા વિંગ કમાન્ડર અભિનંદન!!રથયાત્રાનું મંદિરેથી પ્રસ્થાન થયું ત્યારનો વીડિયોજગન્નાથ પુરીમાં પણ આજે નીકળશે રથયાત્રારુપાણી, નીતિન પટેલે કરાવી પહિંદ વિધિરથયાત્રાના પ્રસ્થાન પહેલા સીએમ વિજય રુપાણી અને ડે. સીએમ નીતિન પટેલ પહિંદ વિધિ કરાવવા માટે આવી પહોંચ્યા હતા. સોનાની સાવરણી વડે ભગવાનનો રસ્તો સાફ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ રથયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું.
રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા સીએમ રુપાણી
પહિંદ વિધિ બાદ રથયાત્રાનું પ્રસ્થાન
મંદિરમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
આખી રાત બનાવાયો રથયાત્રા માટેનો પ્રસાદ
રથયાત્રાનું પ્રસ્થાન, ટ્રકો મંદિરની બહાર નીકળ્યારથયાત્રાના પ્રસ્થાન પહેલા અમી છાંટણાઆજે શહેરમાંથી 142મી રથયાત્રા નીકળી રહી છે, ત્યારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે તે પહેલા જ અમદાવાદમાં વરસાદી માહોલ સર્જાયો છે. સવારથી જ શહેરમાં છાંટા પડી રહ્યા છે, અને સમગ્ર વાતાવરણ ખુશનુમા થઈ ગયું છે. રથયાત્રાના દિવસે વરસાદનું પડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, અને ક્યારેક જ આ દિવસે વરસાદ થતો હોય છે.મંગળા આરતીમાં અમિત શાહ રહ્યા હાજર
હવામાન ખાતાની આગાહી અનુસાર, આજે અમદાવામાં હળવો વરસાદ થવાની સંભાવના છે. વરસાદને કારણે શહેરમાં ગરમી પણ ઓછી રહેશે, અને રથયાત્રા આહ્લાદક વાતાવરણમાં સમગ્ર શહેરમાં ફરે તેવા સંજોગ છે.આજ સવારથી જ જગન્નાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. મંગળા આરતીમાં પણ સેંકડો ભક્તોએ ભાગ લીધો હતો. ભગવાનનું રથમાં સ્થાપન પણ કરી દેવામાં આવ્યું છે, અને પહિંદની વિધિ બાદ જગન્નાથ નગરચર્યાએ નીકળશે.આજે જગન્નાથ મંદિરે થયેલી મંગળા આરતીમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં જય જગન્નાથના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો