એપશહેર

મ્યુકોરના ઈન્જેક્શન માટે વલખાં: લોકો પહેલા SVP પહોંચ્યા, LGમાં ધક્કે ચડ્યા

AMCએ SVPમાંથી LG હોસ્પિટલ મોકલ્યા પરંતુ ત્યાં પણ સ્ટોક નહોતો, દર્દીના સ્વજનોએ હોબાળો મચાવતા સિક્યોરિટી ગાર્ડ અને નાગરિકો વચ્ચે ઘર્ષણ થયું

Agencies 22 May 2021, 10:52 am

હાઈલાઈટ્સ:

  • અમદાવાદ શહેરમાં મ્યુકોરમાઈકોસિસનો કહેર
  • ઈન્જેક્શનના વિતરણ અંગે સંકલનનો અભાવ
  • તંત્રએ રાતોરાત નિર્ણય બદલતા લોકો પરેશાન
  • સિવિલમાં દર્દીની સંખ્યા 500ની નજીક પહોંચી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 2
અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસથી સાજા થતાં દર્દીઓમાં બ્લેક ફંગસના કેસોએ ચિંતા વધારી દીધી છે. સારવાર માટે વપરાતા ઈન્જેક્શનની અછત તેમજ વહીવટીતંત્રમાં સંકલનના અભાવને કારણે દર્દીઓના સગાને આમથી તેમ ધક્કા ખાવા પડી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે શુક્રવારે સવારથી ઈન્જેક્શન લેવા માટે લોકોએ લાઈન લગાવી હતી. પરંતુ ત્યાં ઈન્જેક્શન નહીં મળે તેવું જણાવતા અંતે મણિનગરની LG હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. જો કે, ત્યાં પણ વધારે ભીડથી અફરાતફરી મચી ગઈ હતી. લોકોએ હોબાળો મચાવતા સિક્યોરિટી અને નાગરિકો વચ્ચે ઘર્ષણ થયું હતું.
તંત્રએ રાતોરાત નિર્ણય બદલતા લોકો પરેશાન
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે એક પરિપત્ર જાહેર કરીને મ્યુકોરના ઈન્જેક્શન ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને પણ સરળતાથી મળી રહે તે માટે AMCના આરોગ્ય વિભાગ દ્વારા SVP હોસ્પિટલમાંથી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુકોઈ કારણોસર આરોગ્ય વિભાગે રાતોરાત નિર્ણય બદલીને ઈન્જેક્શન મેળવવાના સ્થળોની લિસ્ટમાંથી SVPની બાદબાકી કરીને LG હોસ્પિટલમાંથી અપાશે તેવા સુધારો કરતા લોકો ધક્કે ચડ્યા હતા.
મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનનો સ્ટોક અપૂરતો: AMC હેલ્થ ઓફિસરજો કે, આ સુધારાના જાણ થાય તે પહેલા મોટી સંખ્યામાં દર્દીઓના સગા SVP હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને જોતજોતામાં લાંબી લાઈનો લાગી ગઈ હતી. SVPમાં લાઈન લગાવી ઉભેલા લોકોને હોસ્પિટલમાંથી કોઈકે આવીને જણાવ્યું કે ઈન્જેક્શન અહીંથી નહીં પરંતુ LG હોસ્પિટલમાંથી આપવામાં આવશે. આ સાંભળતા જ દર્દીઓના સગાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો, અને બધાએ SVPથી LG હોસ્પિટલ દોટ મૂકી હતી, જેના કારણે LG ખાતે પણ ભારે ધસારો જોવા મળ્યો હતો.
અમદાવાદમાં 15 વર્ષના છોકરાને મ્યુકોર થતાં તાળવું કાઢવું પડ્યુંસિવિલમાં મ્યુકોરના 8 વોર્ડ ફુલ થવાના આરે
મ્યુકોરમાઈકોસિસના કેસોમાં સતત વધારો થતાં સિવિલ હોસ્પિટલમાં 8 વોર્ડ ફુલ થવાના આરે છે, ત્યારે સિવિલમાં નવા વોર્ડ ખોલવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ સિવિલમાં મ્યુકોરના દર્દીઓનો આંક 500ની નજીક પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, સિવિલમાં દરરોજ બે વ્યક્તિઓના આ બીમારીને કારણે મોત થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.
આ બધું ક્યાં જઈને અટકશે? હવે અમદાવાદમાં વ્હાઈટ ફંગસના સાત કેસ નોંધાયાસ્ટીરોઈડને કારણે મ્યુકોર વધુ ફેલાયોસિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના HOD ડોક્ટર કમલેશ ઉપાધ્યાયે મીડિયાને જણાવ્યું હતું કે, કોરોનાને કારણે તેમજ તેની સારવારમાં વપરાતા સ્ટીરોઈડને કારણે મ્યુકોરમાઈકોસિસના કેસ વધ્યા છે. નોંધનીય છે કે, કોરોનામાં જે દર્દીઓની ડાયાબીટિસ ન હતો અને તેમનો રેમડેસિવિયરનો કોર્સ પૂરો કર્યો હોય તેવા દર્દીઓને પાછળથી ડાયાબીટિસ આવ્યો હોવાના પણ સંખ્યાબંધ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો