એપશહેર

અમદાવાદઃ RTEમાં એડમિશન લેનારા છોકરાને સ્કૂલમાં બાથરુમ ના જવા દેવાતો હોવાનો વાલીનો આક્ષેપ

અમદાવાદમાં RTE (Right to Education Act 2009) અંતર્ગત વસ્ત્રાલની સ્કૂલમાં પ્રવેશ મેળવનારા બાળક સાથે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાની વાલી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. વિદ્યાર્થીને વારંવાર પેશાબ કરવા જવાની આદત હોવાથી સ્કૂલે વાલીની ફરિયાદ બાદ મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવા કહ્યું છે. ઝુંડાલની સ્કૂલમાં પણ બાળકો સાથે ખરાબ વર્તન થતું હોવાની જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરાઈ છે.

Edited byTejas Jingar | TNN 30 Aug 2022, 11:19 am

હાઈલાઈટ્સ:

  • RTEમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થી સાથે ખરાબ વર્તન થતું હોવાની ફરિયાદ
  • બાળકને વારંવાર બાથરૂમ જવાની આદત હોવાના મુદ્દે વાલીની ફરિયાદ
  • અમદાવાદની સ્કૂલોમાં RTE અંતર્ગત ભણતા બાળકોના વાલીઓની ફરિયાદ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Eklavya School Vastral
એકલવ્ય સ્કૂલ, વસ્ત્રાલ
અમદાવાદ શહેરમાં RTE (Right to Education Act 2009) અંતર્ગત સ્કૂલમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીને પરેશાન કરવામાં આવતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. વસ્ત્રાલમાં આવેલી ખાનગી સ્કૂલમાં ધોરણ-3માં અભ્યાસ કરતા બાળકના વાલી દ્વારા વિદ્યાર્થીને પેશાબ કરવા માટે બાથરૂમ જવાની મંજૂરી વારંવાર ટાળવામાં આવતી હોવાની લેખિત ફરિયાદ કરવામાં આવી છે. વાલીનું કહેવું છે કે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા બાળકને વારંવાર પેશાબ કરવા જવું પડતું હોવાથી શું તકલીફ છે તે અંગે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવા માટે કહીને પરેશાન કરવામાં આવ્યા છે.
વાલીએ સ્કૂલને પત્ર લખીને કરી ફરિયાદ
વસ્ત્રાલમાં આવેલી એકલવ્ય સ્કૂલમાં ધોરણ-3માં અભ્યાસ કરતા ઘનશ્યામ રાઠોડના વાલી કહે છે કે, મારા દીકરાને કોઈ તકલીફ નથી પરંતુ તેને વારંવાર બાથરૂમ જવું પડે છે. પરંતુ ઘનશ્યામની પાછલા કેટલાક દિવસોથી સ્કૂલ દ્વારા વારંવાર બાથરૂમ જવાની માગણીને ટાળવામાં આવતી હોવાની વાત જાણવા મળતા વાલીને આશ્ચર્ય થયું હતું, આ દરમિયાન બાળકે પેન્ટમાં પેશાબ કરી લીધો હોવાથી વાલીએ આ અંગે સ્કૂલને પત્ર લખવાનો નિર્ણય કર્યો કે જેથી તેમના દીકરાને જરુર હોય ત્યારે સ્કૂલમાં પેશાબ કરવા માટે જવા દેવામાં આવે. જોકે, આ પછી સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વાલીને આમ વિદ્યાર્થીને વારંવાર પેશાબ માટે જવું પડતું હોવાનું કારણ રજૂ કરવા અને તેને કોઈ બીમારી છે કે નહીં તે જાણવા માટે મેડિકલ સર્ટિફિકેટ દર્શાવવા માટે કહેવામાં આવ્યું.

ઝુંડાલની સ્કૂલ સામે પણ થઈ હતી ફરિયાદ
અગાઉ ઝુડાલમાં આવેલી ખાનગી સ્કૂલમાં બનેલી આ પ્રકારની ઘટનામાં જૂલાઈ મહિનામાં વાલીઓ દ્વારા RTE અંતર્ગત પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવતું હોવાની જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી.

પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ઝુંડાલની પુના ઈન્ટરનેશલ સ્કૂલમાં RTE અંતર્ગત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને બાકી વિદ્યાર્થીઓ સાથે અન્ય એક્ટિવિટીમાં સમાવવામાં આવતા નથી અને તેમને અલગ ક્લાસમાં બેસાડવામાં આવે છે.

આ પત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, વિદ્યાર્થીઓને માત્ર એક કલાક જ ભણાવવામાં આવે છે અને બાકીના સ્કૂલના કલાકો દરમિયાન તેમને માત્ર બેસાડી રાખવામાં આવે છે. આ સિવાય શિક્ષકો દ્વારા આ (RTE અંતર્ગત પ્રવેશ મેળવનારા) બાળકોને સ્કૂલમાં રમત-ગમત તથા અન્ય પ્રવૃત્તિઓમાં જોડવામાં આવતા નથી. બાળકોને જે રૂમમાં બેસાડવામાં આવે છે તે ગંદા અને અસ્વચ્છ હોય છે.

આ રૂમમાં મચ્છરો હોય છે અને તેના લીધે બાળકો વારંવાર બીમાર પડે છે તેવી ફરિયાદ પણ આ પત્રમાં આ કરવામાં આવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો