વિજય રુપાણી સરકારના શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવા ખાસ દિલ્હીથી આવેલા પીએમ મોદી શપથગ્રહણ વિધિ પૂરી થતાં જ ફરી દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. પીએમે આજે એરપોર્ટ પાસે રોડશો પણ કર્યો, તેમજ પોતાના ઘેર જઈ હીરાબાની મુલાકાત પણ લીધી હતી.
રુપાણીની બીજી ટર્મમાં આરસી ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક જમનાદાસ પટેલ, સૌરભ પટેલ, ગણપત વસાવા, જયેશ રાદડિયા, દિલિપ ઠાકોર, ઈશ્વર પરમારે કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.
રુપાણીએ શપથ લીધા
વિજય રુપાણીએ આજે સીએમ તરીકે બીજી વાર શપથ ગ્રહણ કરી લીધા છે. પીએમ મોદી, 18 રાજ્યોના સીએમની હાજરીમાં ગવર્નર ઓપી કોહલીએ રુપાણીને સીએમ તરીકે શપથ અપાવ્યા.
નીતિન પટેલે પણ લીધા શપથ
રુપાણી સાથે ડેપ્યુટી સીએમ તરીકે નીતિન પટેલે પણ શપથ ગ્રહણ કર્યા.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બનશે કેબિનેટ મિનિસ્ટર
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સ્પીકર બનાવાય તેવી અટકળો હતી, જોકે તેમણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.
સૌરભ પટેલની વાપસી
આનંદીબેન સરકારમાં મંત્રી રહી ચૂકેલા સૌરભ પટેલને વિજય રુપાણીએ પોતાની પહેલી ટર્મમાં પડતા મૂક્યા હતા. જોકે, આ વખતે બોટાદથી ચૂંટણી જીતેલા સૌરભ પટેલની સરકારમાં વાપસી થઈ છે.
આનંદીબેન, કેશુભાઈની પણ હાજરી
શપથગ્રહણ વિધિના સ્થળે પૂર્વ સીએમ આનંદીબેન, કેશુભાઈ પટેલ પણ દેખાયા અને તેમણે રુપાણીને શુભેચ્છા પણ આપી. પૂર્વ સીએમ તેમજ પૂર્વ વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા પણ આ પ્રસંગે હાજર રહ્યા. આ ઉપરાંત, પીએમ મોદી પણ શપથગ્રહણના સ્થળે પહોંચી ગયા છે. વિવિધ સંપ્રદાયના આગેવાનો તેમજ પ્રતિનિધિઓ દ્વારા પીએમનું સ્વાગત કરવામાં આવ્યું.
રુપાણી પહોંચ્યા શપથગ્રહણ સ્થળે
11.30 કલાકથી ગાંધીનગરના નવા સચિવાલય ગ્રાઉન્ડમાં શરુ થનારી શપથવિધિમાં ભાગ લેવા માટે વિજય રુપાણી, અમિત શાહ તેમજ અન્ય સીનિયર નેતાઓ અને 18 રાજ્યોના સીએમ પણ ગાંધીનગર પહોંચી ગયા છે. નીતિશ કુમાર પણ 15 વર્ષે ગુજરાત આવ્યા છે.
રુપાણી સરકારમાં કોને કેટલું પ્રતિનિધિત્વ?
પ્રાપ્ત માહિતી અનુસાર, નવી સરકારમાં સીએમ રુપાણી જૈન છે, અને તે સિવાય 6 મંત્રીઓ પાટીદાર, ક્ષત્રિય 3, દલિત 1, ઓબીસી 6, બ્રાહ્મણ 1 અને એક આદિવાસી અને એક મરાઠી પ્રતિનિધિનો સમાવેશ થઈ શકે છે. આ ઉપરાંત, ચૂંટણી જીતેલા ત્રણ પૂર્વ મંત્રીઓને પડતાં મૂકાયા છે તેવી પણ અટકળો છે.
હીરાબાના આશિર્વાદ લેવા પહોંચ્યા પીએમ
આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ પીએમે એક રોડશો કર્યો હતો. ત્યારબાદ તેઓ સીધા જ ગાંધીનગર જવા રવાના થયા હતા, અને તેઓ ખાસ પોતાના માતા હીરાબાના આશિર્વાદ લેવા માટે ઘરે પહોંચ્યા હતા.
પીએમે ઝીલ્યું લોકોનું અભિવાદન
એરપોર્ટ પર સ્વાગત કરાયા બાદ પીએમે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમણે એરપોર્ટની બહાર સુધી રોડશો કર્યો હતો, જેમાં ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત,
પીએમ પહોંચ્યા અમદાવાદ
રુપાણી અને મંત્રીમંડળની શપથવિધિમાં ભાગ લેવા માટે આજે પીએમ મોદી અમદાવાદ આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું રાજ્યપાલ, અમિત શાહ, વિજય રુપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણી તેમજ અન્ય સિનિયર અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
શપથવિધિમાં સાધુઓની હાજરી
રુપાણીએ કર્યા મંદિર દર્શન
આજે શપથ લેતા પહેલા સવારે વિજય રુપાણી મંદિરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે પૂજનવિધિ કરી ભગવાનના આશિર્વાદ મેળવ્યા હતા.
આજે શપથ વિધિનો ભવ્ય કાર્યક્રમ
ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલના વડપણ હેઠળ આજે રાજ્યમાં છઠ્ઠીવાર ભાજપની સરકાર રચાશે. આ ભવ્ય શપથવિધિ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે અનેક કેન્દ્રીય પ્રધાનો તથા ભાજપ શાસિત 18 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ ભાગ લેશે. વિજય રુપાણીએ શપથ વિધિ પહેલા સવારમાં ગાંધીનગરમાં આવેલા પંચદેવ મંદિર અને ત્યારે પછી અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા. પંચદેવ મંદિરમાં રુપાણીની સાથે તેમના પત્ની અંજલી રુપાણી પણ પહોંચ્યા હતા અહીંથી રુપાણી સેક્ટર-20માં આવેલા અક્ષરધામ મંદિરે પહોંચ્યા હતા અને અહીં તેમણે ભગવાનના દર્શનની સાથે સંતોના આશિર્વાદ પણ લીધા હતા.
બપોરે વિજય મુહૂર્તમાં કાર્યક્રમ
VVIPઓની હાજરીને લઈને સમગ્ર ગાંધીનગરને સુરક્ષાની દ્રષ્ટીએ કિલ્લામાં ફેરવી નાખવામાં આવ્યું છે. VVIPsને લાવવા લઇ જવા માટે લગભગ 10 ચાટર્ડ પ્લેન 20 જેટલા ફેરા કરશે. બપોરે 12:39 વાગ્યે વિજય મુહૂર્તમાં મુખ્યપ્રધાન વિજય રુપાણી સૌ પહેલા શપથ લેશે ત્યાર બાદ એકબાદ એક પ્રધાનમંડળના નેતાઓ શપથ લેશે.
હજુ સુધી પ્રધાનોના નામ પર સસ્પેન્સ
ગાંધીનગર નવા સચીવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં નવી ટીમ ગુજરાત પણ શપથ લેશે. મંત્રી મંડળમાં નવા ચહેરાના સમાવેશ અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નિવાસસ્થાને સોમવારે ત્રણ કલાક કરતા વધુ સમય સુધી ચાલેલી બેઠક રાત્રે 10 વાગે પૂરી થઇ હતી. જોકે, મોડી રાત સુધી ગાંધીનગરમાં પહોંચી ચૂકેલા ધારાસભ્યો પૈકી કોઇને પણ સરકાર કે સંગઠનમાંથી શપથ લેવા માટેનો ફોન આવ્યો ન હોવાથી અનેક પ્રકારની અટકળો વહેતી થઇ છે.
નાનું પ્રધાનમંડળ રખાશે
ભાજપના સૂત્રોનું માનવામાં આવે તો રુપાણી નાના મંત્રી મંડળ સાથે આગળ વધવા માગે છે. નિયમ મુજબ રાજ્યના કુલ ધારાસભ્યોના 15% જેટલા મંત્રીઓ કોઈપણ સરકાર નિયુક્ત કરી શકે છે. જે આંકડો ગુજરાતમાં 27 પહોંચે છે પરંતુ રુપાણી 20થી ઓછા મંત્રી સાથે હાલ આગળ વધે તેવી શક્યતા છે. ત્યારબાદ લોકસભા ચૂંટણી 2019 પહેલા મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવી શકે છે.
મંત્રી મંડળની રચનામાં જાતી અને વિસ્તારને મહત્વ
ભાજપ સતત છઠ્ઠી વખત સત્તામાં આવ્યો છે, પરંતુ સંખ્યાબળ ઘટીને 99 ધારાસભ્યોનું થયું છે એ જોતાં નેતૃત્વ માટે બહુ ગણતરીના જ ચહેરામાંથી મંત્રીઓ પસદ કરવાના છે. ત્યારે તમામ પાસાઓને બેલેન્સ કરી યાદીને આખરી ઓપ અપાયો છે પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આગેવાનોનું માનીએ તો કેબિનેટમાં કડવા-લેઉવા પટેલ, 2 સભ્યો ઠાકોર અને ચૌધરી સમાજમાંથી જ્યારે SC, ST, ક્ષત્રીય અને બ્રાહ્મણ સમાજમાંથી પણ એક એક નેતાને પ્રધાનપદું આપવામાં આવી શકે છે.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.