એપશહેર

સેટેલાઈટમાં રહેતા રિયલટરે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને કર્યો આપઘાતનો પ્રયાસ

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારના એક રિયલટરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 8 ખાનગી વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને રિયલટરે 50 ઉંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓ પાસેથી પીડિતે કરોડો રુપિયા વ્યાજે લીધા હતા. જે ચૂકવવામાં મોડુ થતા આરોપીઓએ 10 ટકા વ્યાજ અને 1 ટકો દંડ પેટે ચૂકવવા માટે કહ્યું હતું. આરોપીઓ પીડિતને ઘરે જઈને ધમકી પણ આપતા હતા.

Edited byમનીષ કાપડિયા | TNN 16 Jan 2023, 8:31 am

હાઈલાઈટ્સ:

  • સેટેલાઈમાં રિયલટરે કર્યો આપઘાતનો પ્રયાસ
  • વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ભર્યુ પગલું
  • આરોપીઓ પાસેથી વ્યાજે લીધા હતા કરોડો રુપિયા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat satellite realtor try to commit suicide
વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને રિયલટરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદઃ સેટેલાઈટ વિસ્તારમાં રહેતા એક રિયલટરે કથિત રીતે 50 ઉંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આઠ ખાનગી સાહુકારો દ્વારા હેરાનગતિના કારણે આ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. રિયલટર નરેશ મફતલાલે ગયા વર્ષે 23 ડિસેમ્બરના રોજ પણ પાલડીની એક હોટલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ બચી ગયા હતા અને જાન્યુઆરીની શરુઆતમાં એસવીપી હોસ્પિટલમાં સ્વસ્થ્ય થયા બાદ ઘરે પરત ફર્યા હતા.
આઠ સાહુકારો વિરુદ્ધ ફરિયાદ
નરેશ મફતલાલે કરેલી ફરિયાદમાં એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, પૈસા આપનારાઓ દ્વારા સતત તેમને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. સાથે જ સેટેલાઈટ વિસ્તારમાં આવેલા પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલા રત્નાકર એવન્યૂમાં તેમના ઘરે જઈને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને ધમકીઓ આપી હતી. તેઓએ આનંદનગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આઠ સાહુકારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, 9 શહેરોમાં તાપમાન 10 ડિગ્રી કરતા પણ ઓછું નોંધાયું
આટલી રકમ વ્યાજે લીધી હતી

જેમાં સંગમ પટેલ, અર્પિત શાહ, અસપાલ શાહ, દિગપાલ શાહ, અશોક ઠક્કકર, ચેતન શાહ, પંકજ પારેખ અને લક્ષ્મણ વેકરિયાનો સમાવેશ થાય છે. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે, એપ્રિલ 2020થી ડિસેમ્બર 2021 દરમિયાન તેઓએ સંગમ પાસેથી 13.64 કરોડ રુપિયા, અર્પિત પાસેથી રુપિયા 18 લાાખ, અસપાલ અને દિગપાલ પાસેથી રુપિયા 7.98 કરોડ, ચેતન પાસેથી રુપિયા 8.08 કરોડ, પંકજ પાસેથી રુપિયા 4.74 કરોડ અને લક્ષ્મણ પાસેથી રુપિયા 75 કરોડ વ્યાજે લીધા હતા.
શુ જોશીમઠની જેમ ધસી રહ્યું છે અમદાવાદ? મોટાપાયે ભૂગર્ભ જળ ખેંચાવાથી સંકટના ભણકારા
ચેકબુક અને પાસપોર્ટ લઈ લીધા
ફરિયાદ મુજબ, પ્રાથમિક સોદો એવો હતો કે ચૂકવણી માસિક 1.5 ટકાના વ્યાજ દરે થવી જોઈએ. પરંતુ થોડા મહિનાઓમાં આઠેય લોકોએ ચૂકવણીમાં વિલંબ માટે 10 ટકા વ્યાજ અને 1 ટકો દંડ લગાવવાની માગ કરી હતી. જૂન 2022 પાછી તેઓ કોઈને પણ ચૂકવણી કરી શક્યા નહીં. એપછી આઠમાંથી દરેકે તેમને કાગળ અને વચન પત્રની કોરી શીટ્સ પર સહી કરાવી કે કહેવાયુ કે તેમના પર કરોડોનું દેવું છે. તો સંગમે 24 કરોડ રુપિયા, અસપાલ અને દિગપાલે 20 કરોડ રુપિયા, પ્રીતે રુપિયા 12 કરોડ, ચેતને રુપિયા 30 કરોડ અને પંકજે રુપિયા 42 કરોડ માગ્યા હતા. કેટલાંક આરોપીઓએ તેમનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો હતો. બળજબરી પૂર્વક તેમની ચેકબુક પણ લઈ લીધી હતી. ત્યારે આનંદનગર પોલીસે આઠેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Latest Ahmedabad News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story