એપશહેર

કોરોના વચ્ચે ગુજરાતમાં 301 દિવસ બાદ આજથી સ્કૂલ અને કોલેજો શરૂ થયા

301 દિવસના અંતરાલ બાદ આજથી રાજ્યમાં શાળા-કોલેજો શરૂ, મોટાભાગના વાલીઓ બાળકોને શાળાએ મોકલવા સંમત થયા

I am Gujarat 11 Jan 2021, 11:58 am
અમદાવાદ: કોરોના મહામારી દરમિયાન 301 દિવસના વિરામ બાદ ગુજરાતમાં આજથી શાળા-કોલેજો શરૂ થઈ. જણાવી દઈએ કે, કોરોનાના પગલે રાજ્યમા માર્ચ મહિનાથી શાળા અને કોલેજો વિદ્યાર્થીઓ માટે બંધ કરી દેવાઈ હતી અને ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું હતું. જો કે, હવે કોરોના કાબૂાં આવ્યો હોવાના દાવા સાથે સરકારે આજથી ધોરણ-10-12ના વિદ્યાર્થીઓ સ્કૂલ તેમજ કોલેજના લાસ્ટ યરના વિદ્યાર્થીઓ માટે કોલેજ શરૂ કરાઈ છે. શાળાઓમાં સરકારની SOPનું પાલન કરવા સૂચના અપાઈ છે. જે અંતર્ગત ગેટ પર શિક્ષકો અને વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરવામાં આવી રહ્યું છે.
I am Gujarat 4

વાલીઓ બાળકોને મોકલવા સંમત થયા
સ્કૂલ ફરીથી ખોલવા અંગે રાજ્ય સરકાર દ્વારા એસઓપી જાહેર કરવામાં આવી હતી. જેમાં સ્પષ્ટપણ જણાવવામાં આવ્યું હતું કે, વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા માટે વાલીઓની સંમતિ જરૂરી છે. જેથી શાળાઓએ વાલીઓ પાસે શાળાએ આવવા માટે સંમતિ મંગાવી હતી. જેમાં મોટાભાગના વાલીઓએ બાળકોને સ્કૂલ મોકલવા માટે સંમતિ આપી હતી. ઘણી શાળાઓએ એક બેન્ચ પર એક જ વિદ્યાર્થી તેમજ નાના ક્લાસ હોય તેવી શાળાઓમાં એક ક્લાસમાં 10 વિદ્યાર્થીઓને બેસાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
માર્ચ 2020માં બંધ કરાઈ હતી શાળા-કોલેજો
તમને જણાવી દઈએ કે, રાજ્યમાં માર્ચ 2020થી કોરોનાની એન્ટ્રી બાદ પ્રથમ તબક્કામાં 16 માર્ચથી 29 માર્ચ સુધી શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી અને આ સમ દરમિયાન બોર્ડ પરીક્ષાઓ ચાલુ હોવાથી પરીક્ષા લેવાની મંજૂરી અપાઈ હતી. જોકે, કોરોનાના કેસો સતત વધતા હોવાથી શાળાઓ બંધ રાખવાની મુદ્દત લંબાવવામાં આવી હતી અને છેક દિવાળી વેકેશન સુધી શાળા-કોલેજો બંધ રાખવામાં આવી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર તરફથી 23 નવેમ્બરથી રાજ્યમાં ધોરણ 9-12ની શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. જોકે, દિવાળી બાદ ફરી કોરોનાના કેસોમાં ઉછાલો થતાં સરકારે પોતાનો નિર્ણય પરત લેવો પડ્યો હતો.
સ્કૂલોએ ઓડ-ઈવન પદ્ધતિ પણ અપનાવી
શાળાઓ શરૂ કરવા અંગે સરકાર દ્વારા આપેલી ગાઈડલાઈનનું પાલન કરવા માટે આદેશ અપાયો છે. જે મુજબ શાળાઓમાં થર્મલ ગન ઉપરાંત સેનેટાઈઝર અને સાબૂની વ્યવસ્થા પણ કરવાની રહેશે. એટલું જ નહીં, ક્લાસમાં યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખવા માટે જણાવાયું છે. જેને પગલે શાળાઓએ તમામ વિદ્યાર્થીઓને એક સાથે બોલાવવાના બદલે ઓડ ઈવન પદ્ધતિ પણ અપનાવી છે. જેમાં ઓડ નંબરના વિદ્યાર્થીઓને 3 દિવસ સ્કૂલ બોલાવાશે. જ્યારે ઈવન નંબરના વિદ્યાર્થીઓને 3 દિવસ સ્કૂલ બોલાવાશે.

(તસવીર: યોગેશ ચાવડા)

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો