એપશહેર

PM મોદીએ શરું કરેલી સી-પ્લેન સેવાને 1 જ મહિનામાં લાગ્યું ગ્રહણ, અસ્થાયી રુપે બંધ

I am Gujarat 28 Nov 2020, 10:41 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદથી કેવડિયા માટે સાબરમતી રિવરફ્રન્ટથી જે સી પ્લેન સેવાની શરૂઆત કરી હતી, તેને એક મહિનાથી પણ ઓછા સમયમાં અસ્થાયી રૂપથી બંધ કરી દેવામાં આવી છે. સી પ્લેનમાં મેઈન્ટેનન્સ સંબંધી પરેશાનીઓના કારણે તેને હાલમાં અસ્થાયી રૂપથી બંધ કરવી પડી છે. 19 સીટરના આ પ્લેનને માલદીવ્સમાં પાછું મોકલવામાં આવશે.
I am Gujarat plan
અમદાવાદ-કેવડિયા વચ્ચે ઉડતા સી-પ્લેનની તસવીર


નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સૂત્રો મુજબ, આ 19 સીટર ટ્વિન ઓટ્ટર 300 સી પ્લેન માલદીવ્સની કંપનીની પ્રોપર્ટી હોવાથી તેને શનિવારે માલદીવ્સમાં માકલવામાં આવશે.

પીએમ મોદીએ 31મી ઓક્ટોબરે કરી હતી શરૂઆત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 145ની જયંતિના અવસરે 31મી ઓક્ટોબરે ભારતની પહેલી સી-પ્લેન સેવાનું ઉદ્ધાટન કર્યું હતું. કેવડિયામાં થયેલા એક કાર્યક્રમમાં પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાબરમતી નદી સુધી ચાલનારી આ સી-પ્લેન સેવાની શરૂઆત કરી હતી.

1500 રૂપિયા છે ભાડું
ઔપચારિક રૂપથી સી-પ્લેન સેવાની શરૂઆત 1લી નવેમ્બરથી થઈ હતી. કેવડિયા અને અમદાવાદમાં વોટરડ્રોમ પર પણ તેના ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં એક વ્યક્તિ માટે 1500 રૂપિયા ભાડું રાખવામાં આવ્યું છે. આ ભાડું સીટોના ક્વોટાના હિસાબથી નક્કી થાય છે. જ્યારે વધુમાં વધુ ભાડું 4800 રૂપિયા પ્રતિ વ્યક્તિ સુધી રખાયું છે.

સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી સી પ્લેન સર્વિસ દેશની પહેલી આ પ્રકારની સર્વિસ છે. તેને સરકારે ઉડાન યોજના અંતર્ગત શરૂ કરી હતી. આ સર્વિસનું સંચાલન સ્પાઈસજેટ કંપની કરી રહી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો