એપશહેર

સમારકામના લીધે બે દિવસ સી-પ્લેનની કામગીરી બંધ, 6 નવે. ફરી સેવા શરુ થશે

ત્રણ દિવસ પછી સી-પ્લેનની કામગીરી બે દિવસ માટે બંધ કરવામાં આવી છે.

I am Gujarat 4 Nov 2020, 1:22 pm
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સી-પ્લેનનો પ્રારંભ કરાવ્યા બાદ, મુસાફરોને પોતાના પ્રવાસને વધુ રોમાંચક બનાવવાનો વધુ એક મોકો મળ્યો છે જોકે, સી-પ્લેનની સમાકામની કામગીરી બે દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે એટલે કે આજે અને આવતીકાલે સી-પ્લેનની કામગીરી બંધ રહેશે અને મુસાફરો 6 તારીખથી સી-પ્લેનની મુસાફરીનો આનંદ ફરીથી માણી શકશે.
I am Gujarat seaplane service close for two days because of maintenance
સમારકામના લીધે બે દિવસ સી-પ્લેનની કામગીરી બંધ, 6 નવે. ફરી સેવા શરુ થશે


બે દિવસ ટેક્નિકલ કારણોના લીધે સી-પ્લેનની કામગીરી બંધ રાખવામાં આવી છે. એટલે કે 6 તારીખથી જે મુસાફરો સી-પ્લેનની મુસાફરી માણવા માગે છે તેઓ ઓનલાઈન અને ટિકિટ બારી પરથી ટિકિટની ખરીદી કરી શકશે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં પ્લેનમાં કોઈ સમારકામ હોવાથી બે દિવસ માટે તેની કામગીરી બંધ રહેશે.ઉદ્ઘાટન બાદ સી-પ્લેનની ત્રણ દિવસમાં 80 જેટલા મુસાફરોએ મુસાફરીનો આનંદ માણ્યો છે.

સી-પ્લેનની સર્વિસ અમદાવાદથી કેવડિયા અને કેવડિયાથી અમદાવાદની છે જેમાં 4 ફ્લાઈટ ઉડાન ભરશે જોકે, આ મહિના પૂરતી અમદાવાદ અને કેવડિયાથી 2-2 ફ્લાઈટ શિડ્યુલ કરવામાં આવી છે. સી-પ્લેન દ્વારા એક કલાકની અંદર કેવડિયા કોલોની પહોંચી શકાય છે.

દિવાળીમાં સૌરાષ્ટ્રને મળશે મોટી ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી-પ્લેન બાદ સૌરાષ્ટ્રના લોકોને દિવાળીની ભેટ આપવાના છે. જેમાં સુરતના હજીરા બંદરથી ભાવનગરના ઘોઘો બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવવાના છે. રો-પેક્સ સેવાથી જે અંતર કાપતા 10-12 કલાકનો સમય લાગતો હતો તે અંતર માત્ર 4 કલાકમાં પૂર્ણ કરી શકાશે. આ રો-પેક્સનું વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ લોકાર્પણ કરાવશે.

રો-પેક્સ ફેરી સર્વિસ દિવસમાં 3 રાઉન્ડ ટ્રીપ કરશે
મનસુખ માંડવીયાએ વધુમાં જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના લોકો માટે રો-પેક્સ ફેરી સર્વિસ સૌરાષ્ટ્રના દ્વાર ખોલી દેશે. તેમના માટે સોમનાથ મંદિર, સાસણગીર, ગિરનાર, દ્વારકા, શૈત્રુંજ્ય, જામનગરના ઈકો ટુરિઝમ કે રાજકોટના વેપારી મથકો સુધી પહોંચવું સુગમ બનશે. રો-પેક્સ સર્વિસ દિવસમાં ત્રણ રાઉન્ડ ટ્રીપ કરશે, જે મુજબ એક વર્ષમાં અંદાજે 5 લાખ મુસાફરો, 80 હજાર વાહનો, 50 હજાર ટુ-વ્હીલર અને 30 હજાર ટ્રકની અવરજવર શક્ય બનશે. ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ 370 કિમીનું છે જે ફેરી સર્વિસ શરૂ થયા બાદ ઘટીને 97 કિમીનું થઈ જશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો