એપશહેર

અ'વાદ: સમર્પણ ફ્લેટ્સમાં કોરોનાની એન્ટ્રી, ટોચના બ્યૂરોક્રેટ્સ-અધિકારીઓમાં ફફડાટ

શહેરના ગુલબાઈ ટેકરા સ્થિત હાઈપ્રોફાઈલ સમર્પણ ફ્લેટ્સમાં કોરોનાનો કેસ આવતા સીનિયર બ્યૂરોક્રેટ્સ અને તેમના પરિવારજનોએ શુક્રવારે વહેલી સવારથી રેપિડ ટેસ્ટ માટે લાઈન લગાવી હતી. સમર્પણ ફ્લેટમાં ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના સીનિયર ઓફિસરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અન્ય અધિકારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જેના કારણે ઘણા અધિકારીઓએ અમદાવાદ અને ગાંધીનગરમાં બંગલા માગ્યા છે. જેમાંથી કેટલાય રહેવા પણ જતા રહ્યા છે.

TNN 15 Aug 2020, 10:47 am
અમદાવાદ: પશ્ચિમ અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વઘારો જોવા મળી રહ્યો છે. ગુલબાઈ ટેકરામાં આવેલા હાઈ પ્રોફાઈલ સમર્પણ ફ્લેટ્સમાં એક ટોચના સરકારી બાબુનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ફ્લેટમાં રહેતા ગુજરાતના સીનિયર બ્યૂરોક્રેટ્સ અને તેમના પરિવારોએ શુક્રવારે વહેલી સવારે રેપિડ એન્ટિજન ટેસ્ટ માટે કતાર લગાવી દીધી હતી. સીનિયર અધિકારીઓ મોર્નિંગ વોક પર જતા પહેલા જ અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન (AMC)ના ડૉક્ટર્સ અને પેરામેડિક્સની એક ટીમ દરેક વ્યક્તિનો ટેસ્ટ કરવા માટે સમર્પણ ફ્લેટ્સ પહોંચી હતી.
I am Gujarat 16


પશ્ચિમ ઝોનના એએમસી અધિકારીએ જણાવ્યું કે, ગુરુવારે ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના સીનિયર ઓફિસરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાા બાદ ઝડપથી ટેસ્ટ્સ હાથ ધરવા પડ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, સાંજ સુધીમાં 63 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. એટલું જ નહીં, પરિવારોમાં રહેતા બાળકો સહિત દરેક સભ્યનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, એસીએસ, મુખ્ય સચિવો, ન્યાયાધીશો સહિત ઘણા સીનિયર લેવલના આઈએએસ અધિકારીઓ અહીં રહે છે.

તમામ બ્યૂરોક્રેટ્સ તેમના કુટુંબના સભ્યો, ડોમેસ્ટિક હેલ્પર, ડ્રાઈવરો અને એટેન્ડન્ટ્સના પરીક્ષણ કરવામાં આવ્યા હતા. સમર્પણ ફ્લેટ્સ અમદાવાદના ટોચના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ અને ઉચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશો માટેના સૌથી જાણીતા રેસિડેન્સિયલ એડ્રેસસમાંથી એક છે.
અધિકારીઓનું કહેવું છે કે અધિકારીઓ અને તેમના પરિવારો બહુમાળી એપાર્ટમેન્ટ સંકુલમાં ચેપ લાગવાનું વધુ જોખમ ધરાવે છે, કારણ કે અહી લોકો સૌથી વધુ લિફ્ટ અને અન્ય ફેસિલિટીનો વધુ ઉપયોગ કરતા હોય છે.

સમર્પણ ખાતે રહેતા ટોચના બાબુઓ અને પોલીસ અધિકારીઓએ કોવિડ પરિસ્થિતિને ટાંકીને અમદાવાદ અને ગાંધીનગરમાં બંગલો માંગ્યો છે.સમર્પણ ફ્લેટ્સમાં રહેતા અધિકારીઓમાં પંકજ જોશી (ACS ફાઇનાન્સ), સંજય શ્રીવાસ્તવ (ડીજીપી, સીઆઈડી ક્રાઇમ અને રેલ્વે) શહેરી આવાસ વિભાગના સચિવ લોચન સેહરા તેમજ જ્યુડીશરીના કેટલાક સભ્યો પણ બહાર નીકળી ગયા છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે શ્રીવાસ્તવ ગાંધીનગર શિફ્ટ થયા છે જ્યારે જોશી ગાંધીનગર શિફ્ટ થવા જઇ રહ્યા છે. લોચન સેહરાને પણ ટૂંક સમયમાં જજિસ બંગલો શિફ્ટ થઈ જશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો