એપશહેર

ગુજરાતમાં કોરોનાના 6 મહિના, નિષ્ણાંતોએ કહ્યું- 'હજુ નિશ્ચિંત બનાવાનો સમય નથી આવ્યો'

રાજ્ય સરકારની કોવિડ-19 ટીમના નિષ્ણાંતો મુજબ ભલે બધી છૂટ હોય પરંતુ 'સાવધાની હટી તો દુર્ઘટના ઘટી' તેવી સ્થિતિ છે.

TNN 19 Sep 2020, 7:58 am
અમદાવાદઃ 19 માર્ચ 2020નો તે દિવસ જ્યારે રાજ્યમાં પહેલીવાર કોરોનાએ દેખા દીધી હતી. આ દિવસે રાજકોટ અને સુરત એમ બે જગ્યાએથી બે કોરોના કેસ એક સાથે સામે આવ્યા હતા. બસ ત્યારથી શરું થયેલું કોરોના ચક્ર અટકવાનું નામ જ નથી લેતું અને રાજ્યમાં આજની તારીખે કુલ 1.2 લાખ કોરોના કેસ છે અને 3,289 લોકોના મોત થયા છે. ગઈકાલે શુક્રવાર 18 સપ્ટેમ્બરે જ નવા કોરોના કેસ મામલે રાજ્યનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો 1410 સામે આવ્યો છે. આ સાથે પહેલીવાર રાજ્યમાં દૈનિક કોરોનાનો આંક 1400ના બેચમાર્કને ક્રોસ કર્યો છે.
I am Gujarat six month of corona fist case in guajrat infection spreading in state its not time to down the guard
ગુજરાતમાં કોરોનાના 6 મહિના, નિષ્ણાંતોએ કહ્યું- 'હજુ નિશ્ચિંત બનાવાનો સમય નથી આવ્યો'


છેલ્લા એક સપ્તાહમાં આ ત્રીજીવાર છે જ્યારે કોરોના કેસ નવો દૈનિક રેકોર્ડ બનાવ્યો હોય. ગઈકાલે સામે આવેલા આંકડામં સૌથી વધુ 286 સુરત, 173 અમદાવાદ, 144 રાજકોટ, 135 વડોદરા અને 129 જામનગર છે. તો સિટી વાઈઝ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કુલ કોરોના કેસ અનુક્રમે 34,666, 25,583, 10,462 અને 7,421 પહોંચ્યા છે.

આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 16 કોરોના દર્દીઓના મોત થયા છે. જેમાં સુરત અને રાજકોટમાંથી 4-4, અમદાવાદ અને વડોદરામાંથી 3-3 અને બે દર્દી ગાંધીનગરના સામેલ છે. જ્યારે શહેર મુજબ કુલ મૃત્યુઆંક જોઈએ તો વડોદરા -160, ગાંધીનગર- 70, અમદાવાદ- 1775, સુરત- 715, રાજકોટ- 122 છે. તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 1293 કોરોના દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં રિકવર થયેલા દર્દીઓની કુલ સંખ્યા પણ 1 લાખને પાર કરી ગઈ છે.

રાજ્યમાં એક્ટિવ કોરોના દર્દીઓની કુલ સંખ્યા 16,108 છે. આમ અત્યાર સુધીના આંકડા મુજબ જો એક્ટિવ, ડિસ્ચાર્જ અને મૃત્યુ પામેલા કોરોના દર્દીઓના આંકડાને ટકાવારી મુજબ જોવામાં આવે તો અનુક્રમે 13.4%, 83.9% અને 2.7% દર્દીઓ છે.

શહેરના નિષ્ણાંત ડોક્ટર છેલ્લા છ મહિનાની કોરોના સ્થિતિનું મુલ્યાંકન કરતા કહે છે કે હજુ સુધી એ સમય નથી આવ્યો કે આપણે નિશ્ચિત થઈ જઈએ. જાણીતા પલ્મોનોલોજિસ્ટિ અને રાજ્ય સરકારની કોવિડ-19 કમિટીના સભ્ય ડો. તુષાર પટેલે અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'કેસ સતત વધી રહ્યા છે. બસ સારી વાત એક જ છે કે હવે આપણે આ રોગ વિશે જાણીએ છીએ અને તેના દર્દીને કઈ રીતે હેન્ડલ કરવા તે પણ જાણી ગયા છીએ. જે આપણને રાજ્યના મૃત્યદરમાં આવી રહેલા સતત ઘટાડાથી જાણી શકાય છે. તેમજ કોરોનાથી આપણું અને બીજાનું રક્ષણ કરવું આપણા હાથની જ વાત છે. તે માટે જરુરી તમામ પ્રોટોકોલ્સનું ચુસ્તપણે પાલન કરીએ તો કોરોનાને હરાવવો અઘરો નથી.'

મહત્વનું છે કે લોકડાઉનમાં છૂટછાટ વચ્ચે હવે કોરોનાના નવા કેસ એવા વિસ્તારોમાંથી આવી રહ્યા છે જ્યાં આ પહેલા ભાગ્યે જ કોઈ કેસ જોવા મળ્યા હતા. જે દર્શાવે છે કે મહામારીનો ફેલાવો શહેરની હદ બહાર અને રાજ્યના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો