એપશહેર

અમદાવાદઃ કોરોના કેસ ઓછા થયા પરંતુ ICUમાં વધતી દર્દીઓની સંખ્યા ચિંતાનું કારણ

Ahmedabad Mirror 15 Dec 2020, 8:58 am
અમદાવાદઃ દિવાળી પછી રાજ્ય અને શહેરમાં આવેલા કોરોના મહામારીના બીજા મોજા બાદ હાલ થોડા દિવસોથી ગુજરાત અને અમદાવાદમાં નવા કેસની નોંધણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન(AHNA) દ્વારા રજૂ કરવામાં આવેલ નવા આંકડા મુજબ શહેરની કોવિડ હોસ્પિટલ્સમાં ભરાયેલા બેડની સંખ્યા ઓછી થઈ રહી છે. જોકે ડોક્ટરોને એક સમસ્યાની ચિંતા સતાવી રહી છે તે છે શહેરમાં ICU અને ICU વિથ વેન્ટિલેટર બેડ પર દર્દીઓની સંખ્યા વધી રહી છે. એસોસિએશનનું કહેવું છે કે લોકો જ્યાં સુધી સમસ્યા ગંભીર નથી થતી ત્યાં સુધી હોસ્પિટલમાં આવતા નથી અને મોડું થવાથી ગંભીર સ્થિતિમાં તેમને ICUમાં દાખલ કરવા પડે છે. જેના કારણે શહેરમાં ખાલી ICU બેડની સંખ્યામાં ઘટાડો થયો છે.
I am Gujarat slight drop in new corona case in ahmedabad but icu beds in city are most occupant that worries city doctors
અમદાવાદઃ કોરોના કેસ ઓછા થયા પરંતુ ICUમાં વધતી દર્દીઓની સંખ્યા ચિંતાનું કારણ


AHNA ના ડેટા મુજબ સોમવારે સવારે શહેરમાં 3775 જેટલા પ્રાઇવેટ હોસ્પિટલના બેડ પૈકી 2258 જેટલા બેડ ખાલી હતા. તો ભરાયેલા બેડ પૈકી 37 ટકા આઇસોલેશન વોર્ડ, HDUમાં 30 ટકા પરંતુ ICU અને ICU વિથ વેલ્ટિલેટરવાળા વોર્ડમાં અનુક્રમે 47 અને 50 ટકા જેટલા બેડ રોકાયેલા હતા.

અર્થમ હોસ્પિટલના ડો. સૌરભ શાહે કહ્યું કે, 'શહેરમાં ICU અને વેલ્ટિલેટર પર રહેતા દર્દીઓનો રેશિયો હજુ પણ ઘણો ઊંચો છે. આ પૈકી મોટાભાગના દર્દીઓ 50થી વધુ ઉંમરના છે અને તેમને કો-મોર્બિડિટીની સમસ્યા પણ છે. આ સાથે આ લોકો એવા છે જેમણે કાં તો હોસ્પિટલમાં ખૂબ મોડેથી દાખલ થયા છે અથવા તો કોઈ યોગ્ય પ્રોટોકોલના પાલન વગર ઘરે જ રહીને ઘરગથ્થુ ઉપાયોથી પોતાની જાતે સારવાર કરવાનો પ્રયાસ કર્યો છે.' તો શહેરની અન્ય એક મોટી પ્રાઇવેટ હોસ્પિટલ DHSના ડિરેક્ટર ડો. સ્વાગત શાહે કહ્યું કે, ' હાલના સમયમાં ઘણા એવા દર્દીઓ આવી રહ્યા છે જેઓ 50 વર્ષથી મોટી ઉંમરના છે અને રોગપ્રતિકારક શક્તિ નબળી છે. તેમને કોઈને કોઈ કો-મોર્બિડિટીની સમસ્યા છે. આ સાથે મહામારીના લક્ષણો દેખાતા જ તેમણે હોસ્પિટલ આવવાની જગ્યાએ ઘરે જ સારવાર લેવાનો પ્રયાસ કર્યો છે. '

આસરવા સિવિલ મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડો. જે વી મોદીએ કહ્યું કે, 'શહેરમાં કોરોના કેસ ઘટી રહ્યા છે પરંતુ જેમને પણ લક્ષણો દેખાય છે તેઓ મોડા હોસ્પિટલમાં દાખલ થાય છે અથવા ઘરે રહીને સારવાર કરે છે અથવા બધુ બરાબર હોવાની માનસિક્તાના કારણે ઘણીવાર દર્દીની સ્થિતિ એટલી ગંભીર હોય છે કે તેમને હોસ્પિટલમાં ICUમાં જ સીધા દાખલ કરવા પડે છે.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો