અમદાવાદ: 2019ની લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં રુપાણીને બદલે બીજા કોઈને સીએમ બનાવાય તેવી અટકળોએ જોર પકડ્યું છે. હાલ ભાજપના નેતાગીરીની સંઘના નેતા વી સતિશ સાથે વાતચીત ચાલી રહી છે, જેનાથી રુપાણીને પડતા મૂકી કોઈ નવા ચહેરાને સીએમની ખુરશી પર બેસાડવાની તૈયારી શરુ થઈ ગઈ છે તેવી વાતોએ જોર પકડ્યું છે.
રુપાણી પર્ફોમન્સ આપવામાં પણ નિષ્ફળ રહ્યા
વિજય રુપાણીનું સ્થાન કોણ લેશે તે અંગે પણ અકટળો શરુ થઈ ગઈ છે. હાલના તબક્કે યુવા પાટીદાર નેતા મનસુખ માંડવિયાનું નામ આ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે. માંડવિયા અત્યારે મોદી સરકારમાં મંત્રી છે. રુપાણી ગુજરાતમાં ખાસ પોપ્યુલર ન હોવાથી તેમજ પર્ફોમન્સ આપવામાં પણ નિષ્ફળ રહ્યા હોવાથી તેમની વિદાય નિશ્ચિત છે તેવી ચર્ચાએ બુધવારે જોરદાર જોર પકડ્યું હતું.
રુપાણી પાટીદારોનો મુદ્દો યોગ્ય રીતે હેન્ડલ ન કરી શક્યા
ભાજપના આંતરિક સૂત્રોનું માનીએ તો, રુપાણી પાટીદારોનો મુદ્દો યોગ્ય રીતે હેન્ડલ નથી કરી શક્યા. એક સમયે ભાજપની વફાદાર વોટ બેન્ક ગણાતા પાટીદારો હવે ભાજપની જ વિરુદ્ધ મત આપે તેવી સ્થિતિ ઉભી થઈ છે, ત્યારે રુપાણીની જગ્યાએ કોઈ નવા ચહેરાને સીએમની ખુરશી પર બેસાડવો જરુરી છે. પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખતા ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીને પણ સીએમ બનાવા તો નવાઈ નહીં.
પ્રદીપસિંહ, નીતિન પટેલ પણ રેસમાં
વાઘાણી, માંડવિયા ઉપરાંત પ્રદીપસિંહ જાડેજા પણ સીએમ પદની રેસમાં છે. માંડવિયા અને પ્રદીપસિંહ બંને પીએમ મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહના ખાસ્સા નજીક ગણાય છે. નીતિન પટેલનું નામ પણ આ રેસમાં સામેલ છે. નીતિન પટેલ સૌથી અનુભવી મંત્રીઓમાંના એક છે, અને હાલના સીએમ રુપાણી પણ તેમનાથી જુનિયર છે.
…પણ અત્યારે સીએમ બદલાયા તો!
બીજી તરફ, સંઘના જ એક જુથનું માનવું છે કે, 2019ની ચૂંટણીના ટાણે જ ગુજરાતમાં સીએમને બદલવા યોગ્ય નહીં રહે. ગુજરાત પીએમ મોદી અને નરેન્દ્ર મોદી બંનેનું હોમ ગ્રાઉન્ડ છે, અને ચૂંટણી ટાણે સીએમ બદલવાથી વોટર્સમાં નેગેટિવ સિગ્નલ જશે. આમ પણ, લાંબો સમય સીએમ રહ્યા બાદ મોદી દિલ્હી ગયા તેના ચાર વર્ષમાં બે સીએમ બદલાઈ ગયા છે. મોદીના જવાથી ગુજરાતમાં ભાજપની સ્થિતિ નબળી પડી છે તેવો મેસેજ આ સમયે જાય તેવું સંઘનું એક જૂથ નથી ઈચ્છતું.
માંડવિયા ખાસ્સા સક્રિય પણ બન્યા છે
ભાજપના એક સૂત્રનું માનીએ તો, માંડવિયા છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતની વારંવાર મુલાકાત લઈ રહ્યા છે, અને તેઓ ભાજપનું સંગઠન મજબૂત બનાવવા ગુજરાતના ખૂણેખૂણાની મુલાકાત લઈ રહ્યા છે. સરકારની અનેક યોજનાના ખાતમૂર્હુતથી લઈ ઉદ્ઘાટન પણ માંડવિયાના હાથે કરાઈ રહ્યા છે. વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં પણ માંડવિયાની ખાસ્સી સક્રિયતા જોવા મળી હતી.
28 વર્ષે ધારાસભ્ય બન્યા હતા માંડવિયા
મનસુખ માંડવિયા ભાવનગર જિલ્લાના પાલિતાણાના છે, અને રાજ્યસભા સાંસદ તરીકે હાલ તેમની બીજી ટર્મ ચાલુ છે. હાલ તેઓ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય, કેમિકલ, શિપિંગ તેમજ રાસાયણિક ખાતર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી છે. માંડવિયા પોતાના અભ્યાસના દિવસોથી જ ભાજપ અને સંઘ સાથે જોડાયેલા છે. 2002માં તેઓ 28 વર્ષની વયે વિધાનસભા ચૂંટણી જીતી સૌથી યુવાવયના ધારાસભ્ય બન્યા હતા.
માંડવિયા ખાસ્સા જુનિયર છે, પણ…
સૂત્રોનું કહેવું છે કે, માંડવિયા પક્ષના જુના જોગીઓની સરખામણીમાં ખાસ્સા જુનિયર છે. જોકે, એક વાત એ પણ છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ હંમેશા યુવાનોને નેતૃત્વ સોંપવાની તરફેણ કરતા હોય છે. માંડવિયાનો પ્લસ પોઈન્ટ એ પણ છે કે તેઓ પાટીદાર છે, અને તેઓ રુપાણી કરતા પાટીદારોના મુદ્દાને સારી રીતે હેન્ડલ કરી શકે તેમ છે.
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.